લખનૌઃ ઉત્તર પ્રદેશના બહારમપુરામાં અકસ્માતની ઘટના સામે આવી છે. જાનૈયાઓથી ભરેલી કાર 20 ફૂટ ઊંડા નાળામાં ખાબકી છે. આ ઘટનામાં 3 માસૂમ બાળકો વરરાજાના પિતા સહિત 4 લોકોના મોત નિપજ્યા છે.
જ્યારે 7થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મહત્વનુ છે કે લગ્ન પ્રસંગ હોવાના કારણે વરરાજાના પરિવારજનો ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાર રોકી હતી. અને ડ્રાઈવર બહાર ગયો હતો.
ત્યારે એકાએક બાળકે કારની હેન્ડબ્રેકને છોડી દેતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે.