દેશના આયુષ મંત્રીએ આજે ટ્વીટર ઉપર જાહેરાત કરી હતી કે દેશમાં કોરોના સામે લડવા માટે ટ્રાયલ્સ માટે 4 પરંપરાગત આયુર્વેદિક ઔષધિઓનો પ્રયોગ શરુ કરશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આપણી પ્રાચીન ઔષધો કોરોના સામે પ્રતિકારક શક્તિ ઉભી કરશે તેવો તેમને વિશ્વાસ છે.
આયુષ મંત્રાલય અને SIR 4 આયુષ ઔષધિઓ ઉપર કામ કરી રહ્યા છે જેના ટ્રાયલ્સ 1 અઠવાડિયામાં શરુ થઇ જશે
કોરોનાના ઝડપી ટેસ્ટ કરતી કીટ્સમાં 50% વાર ખોટા રિઝલ્ટ આવી રહ્યા છે
આયુષ AYUSH એ આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીનું શોર્ટ ફોર્મ છે. અત્યારે દેશમાં આયુષ મંત્રાલય અને Council of Scientific and Industrial Research એટલે કે CSIR 4 આયુષ ઔષધિઓ ઉપર કામ કરી રહ્યા છે જેના ટ્રાયલ્સ 1 અઠવાડિયામાં શરુ થઇ જશે. આ ફોર્મ્યુલા કોરોનાના દર્દીઓ ઉપર એક વધારાની સારવાર તરીકે પ્રયોગ કરવામાં આવશે.
The @moayush & the @CSIR_IND are working together on validating four Ayush formulations against #COVID19Pandemic and the trials will start within one week. These formulations will be tried as an add-on therapy and standard care for COVID-19 patients.
CSIR એ દેશની એક મોટી સરકારી રિસર્ચ સંસ્થા છે. કોરોના વાયરસને વિશ્વએ પહેલી વખત જોયો છે આથી રસી બનાવવા માટે તેના વિવિધ પાસાઓ ઉપર અત્યારે સંશોધન ચાલી રહ્યું છે. સફળ ઉપાય શોધાયા બાદ જ રસીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન અને વિતરણ થશે. વિવિધ ટ્રાયલ્સ ચાલી રહ્યા હોવા છતાં અત્યારે વિશ્વની આયુર્વેદ અથવા કોઈ પણ ચિકિત્સા પદ્ધતિએ કોવિડ 19નો નક્કર ઈલાજ શોધ્યો નથી.
નોંધનીય છે કે અમેરિકી સરકાર દ્વારા ખૂબ પ્રચાર થાય બાદ પણ કોરોનાના ઝડપી ટેસ્ટ કરતી કીટ્સમાં 50% વાર ખોટા રિઝલ્ટ આવી રહ્યા છે. આ એક ગંભીર સમસ્યા છે જેનાથી રસી બનાવવાનું કામ પણ ધીમું થઇ રહ્યું છે.
USA સહિત અલગ અલગ દેશોએ કોરોનાની સારવાર માટે રેમડેસિવીર નામની દવાને અસરકારક ગણી છે. અલગ અલગ કંપનીઓએ રેમડેસિવીરનું ઉત્પાદન અને વિતરણ વધારવા માટે કવાયત હાથ ધરી છે.