વિદેશથી આવતા મુસાફરો નીકળી રહ્યાં છે કોરોના પોઝિટીવ
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ ઊભું થયું છે. હવે વૈજ્ઞાનિકો પણ માનવા લાગ્યાં છે કે નવા વર્ષે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 40 દિવસ ભારત માટે ઘણા ગંભીર હોઈ શકે છે, કારણ કે જાન્યુઆરીમાં કોરોનાના કેસોમાં વધારો થઈ શકે છે. ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારાનો દાવો અગાઉના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.
Next 40 days crucial as India may see COVID cases surge in mid-January: Health Ministry Sources
વૈજ્ઞાનિકોએ કેમ કર્યો દાવો
હકીકતમાં, ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે કોવિડ -19 ની નવી લહેર પૂર્વ એશિયાને અસર કર્યાના 30 થી 35 દિવસ પછી જ ભારત સુધી પહોંચી હતી. આથી તે એક ટ્રેન્ડ બની ગયો છે, જેના આધારે આ દાવો કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું પરિસ્થિતિ ગંભીર નહી બને
આરોગ્ય મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે ચીનમાં કોવિડની લહેરનું કારણ ઓમિક્રોનનો નવો વેરિયન્ટ છે. આ તમામ વેરિએન્ટ ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાવે છે અને એક સાથે 16 લોકોને સંક્રમિત કરી શકે છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે આ વખતે કોરોના સંક્રમણ લોકો માટે બહુ ગંભીર નથી. આવી સ્થિતિમાં, જો કોઈ લહેર હોય તો પણ, દર્દીઓના મૃત્યુની સંખ્યા અને તેમના હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ખૂબ જ ઓછી હશે. તે જ સમયે, આરોગ્ય મંત્રાલય કોરોનાના નવા વેરિઅન્ટ બીએફ.7 પર દવા અને રસી કેટલી અસરકારક છે તેનો અભ્યાસ કરી રહ્યું છે.
6 હજાર આંતરરાષ્ટ્રીય મુસાફરોની તપાસ, 39 પોઝિટીવ
છેલ્લા બે-ત્રણ દિવસમાં 6 હજાર આંતરરાષ્ટ્રીય મુસાફરોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 39 આંતરરાષ્ટ્રીય મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. નિષ્ણાતો માને છે કે તેની ભારત પર વધુ અસર નહીં પડે. આની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારતની મોટાભાગની વસ્તી ડબલ ઇમ્યુનિટી ધરાવે છે, ડબલ એટલે કે નેચરલ ઈમ્યુનિટી અને વેક્સિન બાદ લોકોના શરીરમાં ઈમ્યુનિટી બની છે.