ICMR ના મહામારી વિજ્ઞાનના પ્રમુખ ડોક્ટર સમીરન પાંડાએ જણાવ્યું કે કેટલાક રાજ્યોમાં ત્રીજી લહેરના શરુઆતના સંકેત મળ્યાં છે.
ICMR ના મહામારી વિજ્ઞાનના પ્રમુખ ડોક્ટર સમીરન પાંડાનો દાવો
કેટલાક રાજ્યોમાં ત્રીજી લહેરના શરુઆતના સંકેત મળ્યાં
50 ટકાથી વધારે બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે- સમીરન પાંડા
ડોક્ટર સમીરન પાંડાએ જણાવ્યું કે કેટલાક રાજ્યોમાં ત્રીજી લહેર શરુ થયાના સંકેત મળ્યાં છે. આ રાજ્યોએ બીજી લહેરમાં ઘણી વધારે ગંભીર અસરનો અનુભવ કર્યો નહોતો. ઘણા રાજ્યોએ દિલ્હી અને મહારાષ્ટ્રમાંથી બોધપાઠ લઈને જલદીથી પ્રતિબંધો લગાવી દીધા તેથી ત્યાં સંક્રમણ જોવા મળ્યું નથી.
50 ટકાથી વધારે બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે- સમીરન પાંડા
પાંડાએ જણાવ્યું કે જોકે ડરવાની જરુર નથી. તેમણે જણાવ્યું કે ચોથા નેશનલ સીરો સર્વેથી સ્પસ્ટ જણાયું છે કે 50 ટકાથી વધારે બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જોકે મોટાની તુલનામાં બાળકોની સંખ્યા ઓછી છે. તેથી આપણે કારણ વગર ડરવાની જરુર નથી. જે રાજ્યોએ પોતાની મહામારી સંબંધી તપાસ કરી છે અને મોટા લોકોને વેક્સિન આપી છે, તેઓ ધીરે ધીરે સ્કૂલો ખોલી રહ્યાં છે.
આઈઆઈટી-કાનપુરના વૈજ્ઞાનિક મનિન્દ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે ગયા મહિને ત્રીજી લહેર ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે ટોચ પર રહેશે અને જો સાર્સ-કોવ-2માં વધુ ચેપી પરિવર્તન હોય તો આ કેસ દરરોજ 1.5 લાખથી 2 લાખ ની વચ્ચે હશે. જોકે, ડેલ્ટામાંથી ખાસ ચેપી પરિવર્તન થયું ન હતું. ગયા સપ્તાહનો અંદાજ પણ આવો જ હતો પરંતુ નવા અંદાજથી રોજના કેસોની સંખ્યા એકથી ઘટાડીને દોઢ લાખ કરી દીધી છે. અગ્રવાલે જણાવ્યું હતું કે નવીનતમ ડેટામાં જુલાઈ અને ઓગસ્ટમાં હાથ ધરવામાં આવેલા રસીકરણ અને સિરો સર્વેક્ષણોને પણ આવરી લેવામાં આવ્યા છે.
ત્રીજી લહેર આવે તો દરરોજ એક લાખ કેસ
દેશમાં દરરોજ એક લાખ કેસ નોંધાશે. જ્યારે મે મહિનામાં બીજી લહેરની ટોચ દરમિયાન દરરોજ ચાર લાખ કેસ નોંધાઈ રહ્યા હતા. બીજી લહેરમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક લાખ લોકોને ચેપ લાગ્યો હતો. અગ્રવાલે ટ્વીટ કર્યું હતું કે જો નવું વેરિએન્ટ નહીં આવે તો યથાસ્થિતિ ચાલુ રહેશે. જો સપ્ટેમ્બર સુધીમાં 50 ટકા વધુ ચેપી વેરિએન્ટ ખુલ્લા પડી જશે તો નવો લુક બહાર આવશે. તમે જોઈ શકો છો કે નવું વેરિએન્ટ ત્રીજી લહેર લાવશે અને તે કિસ્સામાં, નવા કેસ દરરોજ વધીને એક લાખ થઈ જશે.