PM મોદી આજે સવારે ગાંધીનગર મહાત્મા મંદિરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનમાં ભાગ લેશે જે બાદ તેઓ દાહોદમાં આદિજાતી મહાસંમેલનમાં હાજરી આપશે.
PM મોદીના ગુજરાત પ્રવાસનો 3જો દિવસ
વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન લેશે ભાગ
આદિજાતી મહાસંમેલનમાં લાખો લોકોને સંબોધશે
PM મોદીની ગુજરાત મુલાકાતનો ત્રીજો દિવસ અને છેલ્લો દિવસ છે. તેઓ આજે સવારે 10.30 કલાકે મહાત્મા મંદિરમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે.વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ, WHOના મહાનિર્દેક પણ પીએમ મોદી સાથે હાજર રહેવાના છે. CM ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાતના અન્ય મંત્રીઑ પણ ઉપસ્થિત હશે.
ગાંધીનગર મહાત્મા મંદિરમાં શું છે કાર્યક્રમ ?
વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું આયોજન
ત્રિ દિવસીય સંમેલનનું આયોજન કરાયું છે
સંમેલનમાં 5 પૂર્ણ સત્રો, 8 ગોળમેજી સંવાદ યોજાશે
6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમનું પણ આયોજન
90 ખ્યાતનામ વક્તાઓ અને 100 જેટલા પ્રદર્શકો ભાગ લેશે
તે બાદ પીએમ મોદી દાહોદમાં આદિજાતી મહાસંમેલનમાં હાજરી આપશે. અને દાહોદને 22 હજાર કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે.મહાસંમેલનમાં 5 ટ્રાયબલ જિલ્લાના લોકો હાજર રહેશે.
વિકાસલક્ષી વિવિધ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
રૂપિયા300 કરોડની વિવિધ જળ પુરવઠા પરિયોજનાઓનું શિલાન્યાસ
રૂપિયા 175 કરોડની દાહોદ સ્માર્ટસિટી યોજનાના 5 પ્રોજેક્ટનું ઉદ્વાટન કરાશે
દૂધીમતી નદી પરિયોજના સંબંધિત વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત
ઘોડિયા ખાતે GETCO સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરાશે
9 હજાર HP ઇલેક્ટ્રિક લોકોમોટીવ પ્રોડક્શન યુનિટનો શિલાન્યાસ
બીજા દિવસે પીએમ મોદીએ બનાસકાંઠા અને જામનગરની લીધી હતી મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજા દિવસે 19 એપ્રિલે બનાસકાંઠામાં શિલ્યાન્સ અને લોકાર્પણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં બહેનોને સંબોધન કર્યુ હતુ...ત્યાર બાદ જામનગરમાં GCTMનું ખાતમુર્હૂત કર્યુ હતુ અને જામગરના રાજવી પરિવાર અને અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી હતી...સાંજના સમયે પ્રધાનમંત્રી મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે ભવ્ય રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા