મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર કાંતો મ્યૂટેશનના કારણે અથવા અતિસંવેદનશીલ વસ્તીના ઝપેટમાં આવવાના કારણે આવશે.
ત્રીજી લહેરનું એક કારણ મ્યૂટેશનના હોઈ શકે
ત્રીજી લહેર બીજું કારણ અતિસંવેદનશીલ વસ્તીના ઝપેટમાં આવવું હોઈ શકે
રસીકરણના માધ્યમથી સંક્રમણની ગંભીરતાથી બચી શકાય
ત્રીજી લહેર કાંતો મ્યૂટેશનના કારણે અથવા અતિસંવેદનશીલ વસ્તીના ઝપેટમાં આવવાના કારણે આવશે
દેશમાં કોરોનાની ત્રીજી લહેર કેમ આવી શકે છે. તેના શક્ય કારણો અંગે સરકારે સંસદને જણાવ્યા છે. શુક્રવારે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર કાંતો મ્યૂટેશનના કારણે અથવા અતિસંવેદનશીલ વસ્તીના ઝપેટમાં આવવાના કારણે આવશે. આ ઉપરાંત આ કોરોનાના મેનેજમેન્ટ સાથે જોડાયેલા અનેક ફાર્માસ્યૂટિકલ અને નોન ફાર્મા કારકો પર નિર્ભર કરશે.
રસીકરણના માધ્યમથી સંક્રમણની ગંભીરતાથી બચી શકાય
પોતાના લેખિત જવાબમાં માંડવિયાએ કહ્યું કે રસીકરણના માધ્યમથી સંક્રમણની ગંભીરતાથી બચી શકાય છે અને આ હર્ડ ઈમ્યુનિટીમાં મદદ કરશે. તેમણે કહ્યું કે રસીએ ન ફક્ત સંક્રમણની ઝપેટમાં આવવાથી બચાવી રહી છે બલ્કી આ બિમારીની ગંભીરતા,હોસ્પિટલમાં દાખલ થવા અને મોતમાં ઘટાડો કરી રહી છે.
બાળકો કોરોનાની ઝપેટમાં વધારે આવશે એના કોઈ પુરાવા નથી
એક્સપર્ટ્સ તરફથી ત્રીજી લહેરના આવવા અને ડેલ્ટા વેરિએન્ટના કારણે સૌથી વધારે બાળકોને અસર થવાની આશંકાઓ પર માંડવિયાએ સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે કહ્યું આ વાતના ન તો ભારતમાં અને ન તો દુનિયામાં કોઈ વૈજ્ઞાનિક પુરાવા છે કે બાળકો કોરોનાની ઝપેટમાં વધારે આવશે. ડેલ્ટા વેરિએન્ટના મામલામાં પણ આ જ વાત છે.
વિપક્ષને આના પર વારંવાર રાજનીતિ ન કરવા સલાહ
માંડવિયાએ કહ્યું કે સરકાર કોરોનાની વિરુદ્ધ 18 વર્ષથી વધારે ઉંમરના મોટા ભાગના લોકોનું જલ્દી રસીકરણ પુરુ કરવા ઈચ્છે છે. તેમણે વિપક્ષને આના પર વારંવાર રાજનીતિ ન કરવા સલાહ આપી. તેમણે કહ્યું કે આ વિષય પર વિપક્ષે રાજનીતિ કરવાની જગ્યાએ એક સાથે મળીને રસીકરણ અભિયાનને પ્રોત્સાહિત કરવાની જરુર છે અને ભ્રમ ફેલાવનારાઓને જવાબ આપવો જોઈએ.