નવી દિલ્હી: ઇરાકના મોસુલમાં ગુમ 39 ભારતીયોના મુદ્દા પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજે નિવેદન આપ્યું છે કે એ બધાના મોત થયા છે. સુષમાએ મંગળવારે જણાવ્યું કે દરેક ભારતીયોને ISISએ મારી નાંખ્યા છ ત્યારબાદ મૃતદેહને બગદાદ મોકલી દેવામાં આવ્યા હતા. અમે DNA સેમ્પલ દ્વારા બધા મૃતદેહની તપાસ કરી.
એમને જણાવ્યું કે જે હરજીત મસીહની સ્ટોરી હતી એ સત્ય નહતી. જે 39 મૃતદેહ મળ્યા છે એમાંથી 38ના ડીએનએ મેચ કરવામાં આવ્યા છે અને 39માંની તપાસ ચાલી રહી છે. સુષમાએ જણાવ્યું કે અમે પહાડોના ખોદકામ કર્યા બાદ મૃતદેહને નિકાળ્યા હતા જનરલ વીકે સિંહ ત્યાં ગયા અને પુરાવા શોધવામાં મહેનત કરી. એમને જણાવ્યું કે સૌથી પહેલા સંદીપ નામના વ્યક્તિનો ડીએનએ મેચ કરવામાં આવ્યો હતો.
સુષમાએ જણાવ્યું કે વીકે સિંહ ઇરાક જશે બધા મૃતદેહને લાવવામાં આવશે. સૌથી પહેલા જહાજ અમૃતસર જશે અને ત્યારબાદ પટના પશ્વિમ બંગાળ જશે. સુષમાએ રાજ્યસભામાં જણાવ્યું કે ડીપ પેનિટ્રેશન રડાર દ્વારા બોડી જોવામાં આવી હતી ત્યારબાદ બધા મૃતદેહને બહાર નિકાળવામાં આવ્યા. જેમાં કેટલાક નિશાન મળ્યા હતા અને ડીએનએ તપાસ બાદ પુષ્ટિ મળી છે. વિદેશમંત્રીએ જણાવ્યું કે 3 વર્ષ સુધી આ શોધખોળ ચાલતી રહી.