સહારનપુરના શિવાલિક ક્ષેત્રમાં ઘણા ભૌગોલિક રહસ્યો છુપાયેલા છે. શિવાલિકની તળેટીમાંથી નિકળતી સહન્સરા નદીના તટ પ્રદેશમાં 30 થી 38 કરોડ વર્ષ પહેલા દરિયામાં મળેલા જીવના જીવાશ્મ મળવાનો દાવો કર્યો.
સહારનપુરમાં 38 કરોડ વર્ષ જૂના જીવાશ્મ મળ્યાં
જીવાશ્મ હાઈડનોસેરસ નામના બહુકોશિકીય જીવનો છે
વૈજ્ઞાનિકોએ ઘણા અન્ય રહસ્ય હોવાનો પણ દાવો કર્યો
જીવના જીવાશ્મ મળવાનો દાવો
સેન્ટર ફૉર વોટરપીસ સંસ્થાના વિજ્ઞાન પ્રભારી અને હિમાલયન ઈન્સ્ટીટ્યુટ ઑફ એન્વાયરમેન્ટ, ઈકોલોજી એન્ડ ડેેવલપમેન્ટ ઉત્તરાખંડના વૈજ્ઞાનિક ડૉ. ઉમર સૈફે દાવો કર્યો છે કે જીવાશ્મ લેટ ડિવાનિયનમાંથી કાર્બોનિફેરસ કૉલના સમયે મળતા હાઈડનોસેરસ નામના બહુકોશિકીય જીવનો છે. જીવાશ્મ મળ્યાં બાદ વૈજ્ઞાનિકોએ ઘણા અન્ય રહસ્ય હોવાનો પણ દાવો કર્યો છે. આ સાથે રિસર્ચ પણ શરૂ કર્યુ છે.
તપાસ દરમ્યાન વોટરપીસ સંસ્થાને જીવાશ્મ મળ્યું
સહારનપુરના શિવાલિક ક્ષેત્રમાંથી ઘણી નાની નદીઓ નિકળે છે. જેમાંથી એક છે સહન્સરા નદી. ઘણા સમયથી નદીને પુન:જીવિત કરવા માટે નદીનો જિયોલોજિકલ જીર્ણોદ્વાર કરાઈ રહ્યો છે. જેના માટે ભૂ-વૈજ્ઞાનિક શિવાલિક ક્ષેત્ર અને નદીમાં સર્વે કરી રહ્યાં છે. સેન્ટર ફોર વોટરપીસ સંસ્થાને આ દરમ્યાન એક જીવાશ્મ મળ્યું. જેની તપાસમાં મોટુ રહસ્ય સામે આવ્યું.
જીવાશ્મ શું હોય છે?
પૃથ્વી પર કોઈ સમયે જીવિત રહેતા પ્રાચીન જીવોના પરિરક્ષિત અવશેષો અથવા તેમના દ્વારા ખડકોમાં છોડવામાં આવેલી છાપને જીવાશ્મ કહે છે. જીવાશ્મ પૃથ્વીની સપાટી અથવા પત્થરોના રૂપમાં સુરક્ષિત મળે છે. જીવાશ્મ દ્વારા કાર્બનિક વિકાસનુ પ્રત્યક્ષ પ્રમાણ મળે છે.