કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. દેશના 37 કરોડથી વધુ બાળકો પર કોરોનાનો ખતરો મંડળાઈ રહ્યો છે.
કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર
દેશના 37 કરોડથી વધુ બાળકો પર ખતરો
CSEના વાર્ષિક રિપોર્ટનો દાવો
આ માહિતી CSEના વાર્ષિક રિપોર્ટ સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયરમેન્ટ 2021માં આપવામાં આવી છે. CSEના રિપોર્ટ અનુસાર ભારત હવે "મહામારી જનરેશન"માં પ્રવેશ માટે તૈયાર છે. રિપોર્ટ પ્રમાણે કોરોનાની અસર બાળકો પર લાંબાગાળા સુધી રહી શકે છે આ અસર નવજાતથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળશે.
બાળકોના મૃત્યુદરમાં થયો વધારો
આના કારણે બાળકોના મૃત્યુદરમાં પણ વધારો થઈ શકે છે તથા બાળકોના શારીરિક વિકાસ પર પણ ખાસ પ્રભાવ જોવા મળશે જેમાં બાળકોમાં ખાસ કરીને ઓછી ઉંચાઈ,ઓછા વજન જેવા લક્ષણો જોવા મળી શકે છે.
વિશ્વમાં 50 કરોડથી વધુ બાળકોએ શાળા છોડી
આ ઉપરાંત બાળકોની રોગ પ્રતિકારત્મક ક્ષમતા પણ ખાસ્સી એવી પ્રભાવિત થશે. બાળકોના ભણતર પર પણ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે. આ રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં 50 કરોડથી વધુ બાળકોએ શાળા છોડી દીધી છે જેમાંથી અડધાથી વધારે બાળકો ભારતના છે.
ભારત 192 દેશોમાં 117માં સ્થાન પર પહોંચી ગયું
આ સાથે સતત વિકાસના મામલે ભારત 192 દેશોમાં 117માં સ્થાન પર પહોંચી ગયુ છે. જેમાં પાકિસ્તાનને છોડી દરેક દક્ષિણ એશિયાઈ દેશો કરતા ભારત પાછળ છે. ઉલ્લેખનીય છે કે CSEના મહાનિર્દેશક સહિત દેશભરના 60થી વધુ પર્યાવરણવિદો દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.