સંઘના એક સીનિયર નેતાએ કહ્યું કે, પ્રચંડ બહુમતની સરકારમાં હવે અમને આશા છે કે તેઓ તમામ કાયદા પણ બનશે કે જે હિંદુસ્તાન માટે ખૂબ જ જરૂરી છે અને બીજેપી જેનો વાયદો કરતી રહી છે. તેઓએ સંકેત આપ્યો કે હવે સમાન નાગરિક સંહિત બનાવવાની દિશામાં બીજેપી વધી શકે છે.
ન્યૂ દિલ્હીઃ કાશ્મીરમાં (kashmir) કલમ 370 (article 370) દૂર થતાની સાથે જ હવે બીજેપી અને સંઘનો સૌથી મોટો એજન્ડો પૂર્ણ થઇ ગયો. આ બીજેપીના ચૂંટણી ઘોષણાપત્રનો એક ભાગ પણ રહ્યો છે અને સંઘની સૌથી મોટી ડિમાન્ડ પણ રહી છે. એટલા માટે હવે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ બોલ્યા કે તેઓએ જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને પણ યાદ કર્યા. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પણ રાજ્યસભામાં મુખર્જીને યાદ કરતા કહ્યું કે, એક દેશમાં બે પ્રધાન, બે સંવિધાન એ ક્યારેય ના હોઇ શકે.
સંઘનું સપનું પૂર્ણઃ
રાજ્યસભામાં અમિત શાહનાં સંકલ્પ પત્ર રજૂ કર્યા બાદ સંઘ પ્રમુખ મોહન ભાગવત અને સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશી તરફથી રજૂ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'સરકારના સાહસપૂર્ણ પગલાનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ જમ્મુ-કાશ્મીર સહિત પૂરા દેશના હિત માટે ખૂબ જરૂરી હતું. તમામને પોતાના સ્વાર્થ અને રાજનૈતિક મતભેદોથી ઉપર ઉઠીને આ પહેલનું સ્વાગત અને સમર્થન કરવું જોઇએ.'
સંઘ કલમ 370 હટાવવા અને લદ્દાખને અલગ કરવાની માંગ પહેલા જ કરતા રહ્યાં છીએ. સંઘે આ સંબંધનો પ્રસ્તાવ પોતાની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં વર્ષ 2002માં જ પાસ કરાવી દીધો હતો. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંધની સૌથી મોટી ડિસીજન મેકિંગ બૉડી છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, કલમ 370ની જોગવાઇઓથી જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદને પ્રોત્સાહન મળી રહ્યું છે. જમ્મુ અને લદ્દાખ રીઝન સાથે ભેદભાવ થઇ રહ્યો છે. જેથી જમ્મુ અને લદ્દાખના નિવાસી અલગ-અલગ રાજ્યની માંગ કરે છે. જેમાં જમ્મુને અલગ રાજ્ય અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો પ્રસ્તાવ પાસ થયો.
હવે આગળનાં પગલાંની તૈયારીમાં બીજેપીઃ
સંઘના એક સીનિયર નેતાએ કહ્યું કે, પ્રચંડ બહુમતની સરકારમાં હવે અમને આશા છે કે તેઓ તમામ કાયદા પણ બનશે કે જે હિંદુસ્તાન માટે ખૂબ જ જરૂરી છે અને બીજેપી જેનો વાયદો કરતી રહી છે. તેઓએ સંકેત આપ્યો કે હવે સમાન નાગરિક સંહિત બનાવવાની દિશામાં બીજેપી વધી શકે છે. સંઘ નેતાએ કહ્યું કે, ટ્રિપલ તલાક પર કાયદો બન્યો એ તે દિશામાં પ્રથમ પગલું છે. જનસંખ્યા નિયંત્રણ કાયદો પણ આવશે એવી અમને આશા છે. સંઘના એક બીજા નેતાએ તો એમ પણ કહ્યું કે, હવે લાગે છે કે આગામી ટૂંક સમયમાં રામ મંદિર બનવાનો રસ્તો પણ બિલકુલ સ્પષ્ટ થઇ જશે. હવે સુપ્રીમ કોર્ટ ડે ટુ ડે સુનાવણી કરી રહ્યું છે અને અમને હવે આશા છે કે કોર્ટનો નિર્ણય આવતા જ ચાહે કંઇ પણ થાય પરંતુ સરકાર અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણની દિશામાં આગળ વધશે.