અમદાવાદ મનપા દ્વારા ફાયર NOC મુદ્દે શહેરની 37 જેટલી શાળાઓની ફાયર NOCને લઈ ક્લોઝર નોટીસ આપવામાં આવી છે
ફાયર વિભાગે ફટકારી નોટીસ
ફાયર NOC ન હોવાથી ફટકારી નોટીસ
SGVP ઈન્ટરનેશનલ સ્કૂલને પણ નોટીસ
અમદાવાદ મનપા દ્વારા ફાયર NOC મુદ્દે શહેરની 37 જેટલી શાળાઓની ફાયર NOCને લઈ ક્લોઝર નોટીસ આપવામાં આવી છે જેમાં ફાયર NOC નહીં ધરાવતી શાળાઓને બંધ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. જે શાળાઓને નોટીસ આપવામાંઆવી છે તેમાં શહેરની SGVP ઇન્ટનેશનર સ્કૂલ,સમીર કનુભાઈ માણેકલાલ સ્કૂલ, શાંતિ એશિયાટિક સહિત વિવિધ 37 સ્કૂલોનો સમાવેશ થાય છે.
ફાયર વિભાગે ફટકારી નોટીસ
મહત્વનું છે કે અગાઉ પણ શાળાઓને નોટીસ આપવામાં આવતા શાળાઓને તેની અવગણના કરી હતી જે બાદ ફરી નોટીસ ફટકારવામાં આવી જો આ વખતે ફાયર સેફ્ટિ સર્ટિફિકેટ જે શાળાઓ નહીં ધરાવતી હોય તે શાળાને તાળા મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ફાયર NOC ન હોવાથી ફટકારી નોટીસ
અહીં ઉલ્લેખનિય છે કે અગાઉ ફાયર વિભાગે NOC વગરની બિલ્ડિંગો, હોસ્પિટલો અને શાળાઓ પર તવાઈ બોલાવાઈ રહી છે ત્યારે અગાઉ પણ શહેરીના 42 જેટલી હોસ્પિટલોને નોટીસ આપવામાં આવી હતી જે બાદ મ્યુનિ. ફાયર ફાયર NOC ન હોવાથી ફટકારી નોટીસબ્રિગેડ દ્વારા શહેરની 13 હોટલોને સીલ કરી દેવામાં આવી હતી.
SGVP ઈન્ટરનેશનલ સ્કૂલને પણ નોટીસ
હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીની 37 શાળાઓને પણ ફાયર એનઓસી મામલે ક્લોઝર નોટીસ આપી દેવામાં આવી છે. શહેરમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી નહીં ધરાવતાં અનેક એકમો સામે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તવાઇ લાવવામાં આવી છે.