સતત 7 દિવસના ઘટાડા વચ્ચે અદાણી ગ્રૂપની કંપનીઓના માર્કેટ કેપમાં રૂ.10 લાખ કરોડનો ઘટાડો થયો છે. એવામાં LIC એ અદાણીની કંપનીઓમાં રોકાણ કર્યું છે અને સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ લોન આપી છે.
અદાણી જૂથમાં રોકાણ કરવા પર કંપનીઓ નફામાં: નિર્મલા સીતારમણ
હિંડનબર્ગના રિપોર્ટ બાદ રોકાણકારો સતત શેરોની વેચવાલી કરી રહ્યા
અદાણી ગ્રુપના શેરમાં ભાવ ઘટાડાનો ટ્રેન્ડ અટકી નથી રહ્યો, સતત 7 દિવસના ઘટાડા વચ્ચે અદાણી ગ્રૂપની કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 10 લાખ કરોડનો ઘટાડો થયો છે. એવામાં LIC એ અદાણીની આ કંપનીઓમાં રોકાણ કર્યું છે આ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ લોન આપી છે. હાલની પરિસ્થિત જોતાં એસબીઆઈ અને એલઆઈસીમાં નાણાં રોકનારા રોકાણકારોના મનમાં પણ ડર બેઠો છે. જો કે બેન્કિંગ નિષ્ણાતો રોકાણકારોને ધીરજ રાખવાની સલાહ આપી રહ્યા છે.
SBI has an overall exposure of Rs 27,000 cr in Adani group which is 0.88% of the loan book as on 31st Dec 2022. The loans are against assets & businesses that are cash-generating. So, we don’t see any challenge, no cause of concern for us: SBI Chief Dinesh Khara pic.twitter.com/mcVru9a3ZJ
LIC અને SBI અદાણી ગ્રુપમાં રોકાણ કેટલું
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શુક્રવારે કહ્યું કે તેણે અદાણી ગ્રુપની કંપનીઓને લગભગ 27,000 કરોડ રૂપિયાની લોન આપી છે, જે એકંદર એક્સપોઝરના માત્ર 0.88 ટકા છે. આ સાથે જ એમને જણાવ્યું હતું કે SBIએ આ જૂથને શેરના બદલામાં કોઈ લોન આપી નથી.
ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ અદાણી જૂથના બોન્ડ્સ અને ઇક્વિટીમાં 36,474.78 કરોડનું રોકાણ કર્યું છે પણ હિંડનબર્ગના રિપોર્ટ પહેલા આ રોકાણનું મૂલ્ય બમણું એટલે કે 77000 કરોડ હતું.
અદાણી જૂથમાં રોકાણ કરવા પર કંપનીઓ નફામાં - નાણામંત્રી નિર્મલા સીતારમણ
અદાણીના શેરમાં ભારે ઘટાડા વચ્ચે એલઆઈસીના ગ્રુપમાં રોકાણ અને એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી લોન પર પહેલી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રતિક્રિયા સામે આવી છે. નાણામંત્રીએ કહ્યું કે અદાણી જૂથની કંપનીઓને એસબીઆઈ અને એલઆઈસીનું એક્સપોઝર મંજૂરીની મર્યાદામાં છે. હું કહેવા માંગુ છું કે SBI અને LIC બંનેએ વિગતવાર નિવેદનો જારી કર્યા છે. બંનેના ચેરમેન અને સીએમડીએ વિગતવાર ખુલાસો કર્યો છે કે તેઓ અદાણી જૂથમાં એક્સપોઝડ નથી. તેમણે એમ પણ કહ્યું કે અદાણી ગ્રુપ પાસે જે કંઈપણ એક્સપોઝર છે, તે નફા પર બેઠું છે અને વેલ્યુએશનમાં ઘટાડા પછી પણ તેઓ નફામાં છે.
Lenders have made it clear they are not overexposed, exposure to Adani group within permitted limits: Nirmala Sitharaman
મજબૂત છે બેંકિંગ સિસ્ટમ
નાણામંત્રીએ આ વિશે આગળ કહ્યું કે આરબીઆઈ અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડની બેઠક થઈ છે જે દર છ મહિને યોજાય છે અને હું જવાબદારી સાથે કહેવા માંગુ છું કે ભારતનું બેંકિંગ ક્ષેત્ર ખૂબ જ સારી સ્થિતિમાં છે. બેંકોની એનપીએમાં ઘટાડો થયો છે. આ સાથે જ લોનની રિકવરી પણ સતત થઈ રહી છે એ સાથે જ બેંકોની સ્થિતિ ઘણી મજબૂત છે.
નાણામંત્રીને વિદેશી રોકાણકારો છે પર વિશ્વાસ
અદાણી ગ્રુપમાં વૈશ્વિક રોકાણકારોના વેચાણ અને વર્તમાન પરિસ્થિતિમાં રોકાણ મોકૂફ રાખવાના પ્રશ્ન પર નાણામંત્રીએ વિદેશી રોકાણકારોને ખાતરી આપી હતી કે ભારતની વહીવટી વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. આ સાથે જ એમ પણ કહ્યું હતું કે અહીં એક સ્થિર સરકાર તેમજ સારી રીતે નિયંત્રિત નાણાકીય બજાર છે અને રોકાણકારોનો ભારત પર અગાઉ જે વિશ્વાસ હતો તે ભવિષ્યમાં પણ અકબંધ રહેશે. નાણામંત્રીએ કહ્યું કે અમારા રેગ્યુલેટર્સ વહીવટી બાબતોને લઈને ખૂબ જ કડક છે અને એક ઘટના આપણા નાણાકીય બજાર પર પ્રશ્નો ઉભા કરી શકતી નથી. છેલ્લા દાયકામાં આપણે ઘણા પાઠ શીખ્યા છે.
રોકાણકારો સતત શેરોની વેચવાલી કરી રહ્યા
જણાવી દઈએ કે હિંડનબર્ગના નેગેટિવ રિપોર્ટ બાદથી રોકાણકારો સતત શેરોની વેચવાલી કરી રહ્યા છે અને એ સાથે જ NSEએ જૂથની 3 કંપનીઓને એડિશનલ સર્વેલન્સ માર્જિન ફ્રેમવર્ક એટલે કે ASMમાં મૂકી છે. એ પહેલા ડાઉ જોન્સે તેના સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઈઝને બહાર કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ કેટલીક ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપનીઓએ પણ અદાણી જૂથના બોન્ડ રેટિંગને ઘટાડ્યું છે.
ફેલ ન જઈ શકે SBI અને LICના શેર?
SBI ભારતીય રિઝર્વ બેંકની 'ટૂ બિગ ટુ ફેલ' બેંકોની યાદીમાં છે એટલે કે એસબીઆઈ એટલી મોટી છે કે તે ફેલ થઈ શકે નહીં. એ જ રીતે LIC એ રોકડથી સમૃદ્ધ નાણાકીય સંસ્થા છે, જે ઘણી મોટી કંપનીઓના શેરમાં રોકાણ કરે છે. LIC પાસે રૂ. 21,000 કરોડથી વધુનું એવું ફંડ છે જેનો કોઈ ક્લેમ કરતું નથી. આમ પણ અદાણી જૂથમાં રોકાણ એ એલઆઈસીના સંચાલન હેઠળની કુલ સંપત્તિનો ખૂબ જ નાનો ભાગ છે.
બેન્કિંગ નિષ્ણાતનું આ વિશે કઇંક આવું કહેવું
સરકારી બેંકો કે LIC જેવી સંસ્થાઓના નાણા અદાણી ગ્રુપમાં રોકવામાં આવે છે. એટલે જો સ્થિતિ વધુ ખરાબ થશે તો સરકાર તેમાં ચોક્કસપણે હસ્તક્ષેપ કરશે. એન બેંકોમાં રોકાણકારોની 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર સુરક્ષાની ગેરંટી છે. તો જેમની પાસે બેંકમાં 5 લાખ કે તેનાથી ઓછા પૈસા છે તેમણે ટેન્શન લેવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન બેંકમાં થાપણો પર સામાન્ય લોકોને વીમા સુરક્ષાની ખાતરી આપે છે. જો બેંક ખોટમાં જાય અથવા નિષ્ફળ જાય તો પણ લોકોની 5 લાખ રૂપિયા સુધીની થાપણો એકદમ સુરક્ષિત રહે છે.
ઘટાડા પછી શેરમાં રોકાણ કરવાની તક: SBI
SBI સહિત તમામ PSU બેંકો સારી કમાણી કરી રહી છે પણ સારી કમાણી કર્યા પછી પણ તેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. જો કે અદાણી ગ્રૂપ સાથેના નેગેટિવ રિપોર્ટને કારણે SBIના શેરમાં પહેલેથી જ નોંધપાત્ર કરેક્શન જોવા મળ્યું છે, તેથી તે લાંબા ગાળાના રોકાણકારો માટે કોઈ જોખમ નથી. SBI તરફથી સારા પરિણામો આવવાની શક્યતા છે. તે જ સમયે, બેંકોએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અદાણી ગ્રુપમાં વધુ એક્સપોઝર ધરાવતા નથી અને તાજેતરના ઘટાડા પછી SBI સહિત ઘણા બેન્ક શેરો રોકાણ માટે આકર્ષક દેખાઈ રહ્યા છે.