નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCB)એ હાલમાં ક્રાઈમના આંકડા જાહેર કર્યા છે. જેમાં 2019માં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના 36 જવાનોએ આત્મહત્યા કરી છે. 6 વર્ષમાં આવી 433 ઘટના બની છે. એનસીબીના આંકડામાં જણાવ્યાનુંસાર 6 વર્ષ દરમિયાન કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના 433 કર્મીઓએ આત્મહત્યા કરી છે. વર્ષ 2018માં સૌથી ઓછા 28 એવા મામલા દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 2014માં સૌથી વધારે 175 મામલા સામે આવ્યા છે.
2019માં 10281 કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોએ કર્યો આપઘાત
2019માં 32563 દૈનિક વેતન કામદારોએ કર્યો આપઘાત
2019માં કુલ 1,39,123 લોકોએ કર્યો આપઘાત
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના 36 જવાનોએ આત્મહત્યા કરી છે
વર્ષ 2017માં એવી ઘટનાઓની સંખ્યા 60 હતી. જ્યારે 2016માં 74 અને 2015માં 60 હતા. આમાં ગૃહ મંત્રાલયના મેનેજમેન્ટના નિયંત્રણમાં આવનારી સીએપીએફમાં સાત કેન્દ્રીય સુરક્ષા દળોનો સમાવેશ થયો છે. જેમાં આસામ રાઈફલ્સ ઉપરાંત સુરક્ષા દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, કન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, ભારત- તિબ્બત સીમા પોલીસ, સશસ્ત્ર સીમા દળ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે.
એનસીઆરબીનું કહેવું છે કે સીએપીએફમાં 923800 કર્મી હતા. જે સરહદની સુરક્ષા ઉપરાંત આંતરિક સુરક્ષા જાળવવા તથા ગેરકાયદેસરની ગતિવિધીઓ પર અંકુશ લગાવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારને મદદ કરવામાં મહત્વનો ફાળો આપે છે.
સૌથી વધુ આપઘાત દૈનિક વેતન કામદારો કરે છે. 2019માં સૌથી વધુ ખેડૂત અને દૈનિક વેતન કામદારોએ આપઘાત કર્યો છે. 2019માં લગભગ 43 હજાર ખેડૂત અને દૈનિક વેતન કામદારોએ આપઘાત કર્યો છે. આંકાડા મુજબ 2019માં 10281 કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોએ આપઘાત કર્યો. જેમાં 5957 ખેડુતો અને 4324 ખેત મજુરોનો સમાવેશ થાય છે. જ્યારે 2019માં 32563 દૈનિક વેતન કામદારોએ આપઘાત કર્યો છે. 2019માં દેશભરમાં કુલ 1,39,123 લોકોએ આપઘાત કર્યો છે. આપઘાત કરનાર ખેડૂતોમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રના છે.