અમદાવાદમાં અનેક દુર્ઘટનાઓ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર છે. છેલ્લા 5 વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં હજુ સુધી કોઈ જ અધિકારીઓ સામે પગલા નથી લેવાયા. અલગ અલગ ઘટનામાંઓ અનેક લોકોના જીવ ગયા પરંતુ કોઈ જ એક્શન નહીં.
અમદાવાદમાં દુર્ઘટનાઓમાં મનપાની કોઇ જવાબદારી નહી
છેલ્લા 5 વર્ષની દુર્ઘટનાઓમાં અધિકારીઓ સામે કોઇ પગલાં નહી
10 મોટી દુર્ઘટનાઓમાં અધિકારીઓની કોઇ જવાબદારી નહી
અમદાવાદમાં 10 મોટી દુર્ઘટનાઓમાં અધિકારીઓની કોઇ જવાબદારી હજુ સુધી નક્કી નથી થઈ. અલગ અલગ 10 ઘટનાઓમાં જવાબદારો સામે કોઈ પગલાં નથી લેવામાં આવ્યા. મહત્વનું છે કે, અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આવી ગંભીર દુર્ઘટનાઓ બની ચૂકી છે પરંતુ કોઇપણ જગ્યાએ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
એપ્રિલ 2016માં ડિમોલિશન કામગીરીમાં 4 લોકોના થયા હતા મોત
માર્ચ 2016માં એલ.જી હોસ્પિ.માં મોતિયા ઓપરેશનથી લોકોએ દ્રષ્ટી ગુમાવી હતી. ઑપરેશન કરનાર તમામ ડોક્ટર્સને ક્લીનચીટ અપાઈ છે.
જૂન 2016માં નગરી હોસ્પિટલમાં થયેલા અંધાપાકાંડમાં પણ કોઇ કાર્યવાહી નહીં 15 લોકોની દ્રષ્ટી ગુમાવવા પાછળ ઇન્જેક્શનને જવાબદાર ગણાવાયા.
ઓગસ્ટ 2018માં સરકારી વસાહતના તૂટી પડતા 1નું થયું હતું મોત
મે 2019માં ઓઢવમાં ટાંકાની સફાઇ કરતા 4 શ્રમિકોના મોત થયા પરંતુ તેમાં કોઈ કાર્યવાહી નહી
2019માં કાંકરિયામાં રાઇડ તુટવાને ઘટનામાં પણ કોઈ જ કાર્યવાહી ન થઈ
ફેબ્રુઆરી 2020માં નંદન ડેનિમ કંપનીમાં આગમાં 8 શ્રમિકોના મોત થયા પણ કાર્યવાહી ન થઈ
ઓગસ્ટ 2020માં શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં પણ 8 દર્દીઓના મોત થયા પરંતુ તપાસ શૂન્ય
શ્રેય અગ્નિકાંડમાં પણ મનપા અને ફાયરના અધિકારીઓને ક્લીનચીટ આપી દેવાઈ
નવેમ્બર 2020માં પિરાણા બ્લાસ્ટમાં 12 લોકોનો ભોગ લેવાયો પરંતુ હજુ સુધી કોઈ જ એક્શન નહી