દેશના 3 મોટા રેલવે સ્ટેશનોના નવીનીકરણના મોદી સરકારના નિર્ણયને કારણે 35,744 નવી નોકરીઓ ઊભી થશે અને 20 લાખ પ્રવાસીઓને સુખદ યાત્રાનો અનુભવ થશે. મોદી સરકારે 10,000 કરોડના ખર્ચે અમદાવાદ, નવી દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનોના નવીનીકરણનો નિર્ણય લીધો છે.
#Cabinet approves redevelopment of New Delhi, Ahmedabad and Chhatrapati Shivaji Maharaj Terminus (CSMT), Mumbai Railway Stations with an approximate total investment of nearly ₹10,000 Cr.
રોજગારીની નવી તકો ઊભી થશે
કેબિનેટની બેઠકમાં દેશના ત્રણ મોટા સ્ટેશનોને એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ કન્સ્ટ્રકશન (ઈપીસી) મોડમાં રિડેવલપમેન્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી દેશમાં 35,744 નવી રોજગારીનું સર્જન થશે અને 20 લાખ રેલવે પ્રવાસીઓને યાત્રાને સુખદ અનુભવ થશે. સરકારે કહ્યું કે આનાથી સ્થાનિક સ્તરે બજાર અને અર્થવ્યવસ્થામાં વધારો થશે અને નવી તકો ઉભી થશે.
3 મોટા રેલવે સ્ટેશનોનો ફરી વિકાસ
મોદી કેબિનેટની બેઠકમાં દેશના 3 મોટા રેલવે સ્ટેશનોનો ફરી વિકાસ કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ, નવી દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનનો વિકાસ કરવાની ભારતીય રેલવેની દરખાસ્તને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
New Delhi railway station, Ahmedabad railway station and CSMT, Mumbai will be redeveloped in a time span of approximately 2 year to 3.5 years. Modular technology to be used in the redevelopment of these stations: Railways Minister Ashwini Vaishnaw pic.twitter.com/S1hX8l3H7B
10,000 કરોડના ખર્ચ વિકસાવાશે 3 મોટા રેલવે સ્ટેશન
કેબિેનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈ એમ ત્રણ મોટા સ્ટેશનોનો ફરી વિકાસ કરવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છએ. આ પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ 10,000 કરોડ થશે.
હાલમાં 199 રેલવે સ્ટેશનોની કાયાપલટનું કામ ચાલી રહ્યું છે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હાલમાં કુલ 199 રેલવે સ્ટેશનોના પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું છે અને તેમાં હવે દેશના 3 મોટા રેલવે સ્ટેશનોનો ફરી વિકાસ કરવામાં આવશે.