ખેડૂતોને શું લાભ મળશે
ઇક્વિટી ગ્રાન્ટ હેઠળ એફપીઓને 3 વર્ષ માટે એફપીઓ દીઠ રૂ. 18 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. આ ઉપરાંત એફપીઓ દીઠ રૂ.15 લાખની મર્યાદા સાથે એફપીઓના દરેક ખેડૂત સભ્ય માટે રૂ.2,000 સુધીની ગ્રાન્ટ અને પાત્ર ધિરાણ આપતી સંસ્થા પાસેથી એફપીઓ દીઠ રૂ.2 કરોડ સુધીની ક્રેડિટ ગેરંટીની સુવિધા આપવામાં આવશે.
देश के छोटे किसानों के जीवन में बदलाव लाने के लिए केंद्र और राज्यों को मिलकर काम करना होगा।
eNAM પ્લેટફોર્મનો શુભારંભ
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ગુરુવારે રાષ્ટ્રીય કૃષિ બજાર (ઇ-એનએએમ) હેઠળ પ્લેટફોર્મ ઓફ પ્લેટફોર્મ્સ (પીઓપી)નો શુભારંભ કર્યો છે. આનાથી ઘણા બજારો, ખરીદદારો, સેવા પ્રદાતાઓ સુધી ખેડૂતોની ડિજિટલ પહોંચમાં વધારો થશે. તેની શરૂઆત બેંગલુરુમાં આયોજિત રાજ્ય કૃષિ અને બાગાયત પ્રધાનોના સંમેલનમાં થઈ છે.
ખેડૂતો રાજ્ય બહાર તેમની ઉપજ વેચી શકશે
કૃષિ મંત્રી તોમરે બેંગ્લુરુમાં ઈનામ પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો છે. આનાથી ખેડૂતો તેમની કૃષિ ઉપજને ખૂબ સરળતાથી રાજ્ય વેચી શકશે. પીઓપીથી માત્ર ઇ-નામ પ્લેટફોર્મનું મૂલ્ય જ નહીં વધે, પરંતુ તેના વપરાશકર્તાઓને વિવિધ સર્વિસ પ્રોવાઇડર્સ પાસેથી સેવાઓ મેળવવાનો વિકલ્પ પણ મળશે. તે ખેડૂતો, એફપીઓ, વેપારીઓ અને અન્ય હિતધારકોને સિંગલ વિન્ડો મારફતે કૃષિ મૂલ્ય શ્રુંખલામાં વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓ સુલભ કરવા સક્ષમ બનાવશે. પીઓપીને ઇ-નામ મોબાઇલ એપ દ્વારા એક્સેસ કરી શકાય છે, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ સેવા પ્રદાતાઓ કૃષિ ઉત્પાદન પરીક્ષણ, ટ્રેડિંગ, ચુકવણી પ્રણાલી, લોજિસ્ટિક્સ, સફાઇ, ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકેજિંગ, સંગ્રહ, વીમો, માહિતી પ્રસારણ, પાકની આગાહી અને હવામાન વગેરે વિશેની માહિતી પ્રદાન કરશે.
Gathering of Agri & Horti Ministers of various states in presence of Hon. Union Minister of Agri Sh. Narendra Singh Tomar & MoS Sushri Shobha Karandlaje & Sh. Kailash Choudhary on occasion of #NationalConference of State Agri & Horti Ministers, Bengaluru, Karnataka on 14.07.2022 pic.twitter.com/eKBF30EMp7
પીઓપી વિવિધ પ્લેટફોર્મ પરથી 41 સર્વિસ પ્રોવાઇડર્સને આવરી લે છે, જે વેપાર, સ્ટોરેજ, ફિનટેક, બજારની માહિતી, પરિવહન વગેરે જેવી વિવિધ વેલ્યુ ચેઇન સેવાઓની સુવિધા આપે છે. પીઓપી ડિજિટલ ઇકો-સિસ્ટમ બનાવશે, જેને કૃષિ મૂલ્ય શ્રુંખલાના વિવિધ સેગમેન્ટમાં વિવિધ પ્લેટફોર્મની કુશળતાનો લાભ મળશે. ઇ-નામ પ્લેટફોર્મના પ્લેટફોર્મ તરીકે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત સર્વિસ પ્રોવાઇડર્સના પ્લેટફોર્મનું સંકલન કરે છે.
બેંગ્લુરુમાં યોજાયું રાજ્યના કૃષિમંત્રીઓનું સંમેલન
બેંગ્લુરુમાં રાજ્યના કૃષિ અને બાગાયત મંત્રીઓના સંમેલનમાં કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડો.મનસુખ માંડવિયા, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી, શોભા કરંદલાજે, કર્ણાટકના કૃષિ મંત્રી બી.સી. પાટીલ અને કેન્દ્રીય કૃષિ સચિવ મનોજ આહુજા સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.