રશિયા અને યુક્રેન યુદ્ધના 34 મા દિવસે એક સકારાત્મક સમાચાર આવ્યાં છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો 34મો દિવસ
તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં બન્ને દેશ વચ્ચે થઈ ફળદાયી મંત્રણા
પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઈ શકે
આજથી રશિયા-યુક્રેન યુદ્ધને 34 દિવસ થઈ ગયા છે. આટલા દિવસો પછી પણ રશિયા કે યુક્રેનમાંથી કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી કોઈ પણ ભોગે હાર માનવા તૈયાર નથી, તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કોઈપણ ભોગે આ યુદ્ધ જીતવા માગે છે. આ યુદ્ધે વિશ્વભરમાં ચિંતા વધારી દીધી છે. દરેક દેશ ઇચ્છે છે કે બંને દેશો વચ્ચે શાંતિ પુન:સ્થાપિત થાય. યુદ્ધને ખતમ કરવા માટે બંને દેશો વચ્ચે વાતચીત પણ થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. તુર્કીમાં યુદ્ધને લઈને હવે બંને દેશો વચ્ચે ગંભીર બેઠક થઈ છે. તેને શાંતિ મંત્રણા કહેવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, વિશ્વની નજર આ બેઠકના પરિણામો પર છે. આ બેઠકને પગલે રશિયાએ મોટી જાહેરાત કરી છે કે, રશિયાની સેના હવે યુક્રેનની રાજધાની કિવની દિશામાં પોતાની સૈન્ય ગતિવિધિઓને મર્યાદિત કરશે.
કિવ અને ચર્નીહિએવમાં હુમલા ઘટાડશે રશિયા
રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે યુક્રેનની રાજધાની કિવની આસપાસ રશિયન આક્રમણ હવે મર્યાદિત રહેશે. તેમણે કહ્યું કે આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જેથી બંને દેશો વચ્ચે આત્મવિશ્વાસ વધારવાને પ્રોત્સાહન મળશે અને યુદ્ધને સમાપ્ત કરવા માટે સાર્થક વાતચીત થશે. નાયબ સંરક્ષણ પ્રધાન એલેક્ઝાંડ્રે ફોમિને જણાવ્યું હતું કે રશિયન સૈન્ય કિવ અને ચેર્નીહિવની દિશામાં તેની સૈન્ય પ્રવૃત્તિઓને મર્યાદિત કરશે.
ઝેલેન્સ્કી અને પુતિન મળશે
મંગળવારે તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાર્તા થઇ હતી. લગભગ ત્રણ કલાક ચાલેલી આ બેઠક બાદ રશિયાના મુખ્ય વાટાઘાટકાર મેદિન્સ્કીએ સકારાત્મક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રશિયાએ યુક્રેન વચ્ચે કિવ અને ચેર્નીગોવમાં હુમલાઓ ઘટાડવાનો નિર્ણય લીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઈ શકે છે. આ પહેલા બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થશે.
Russia says to 'radically' reduce military activity near Kyiv, Chernigiv, reports AFP News Agency.
Kyiv negotiators call for 'international' accord to guarantee Ukrainian security, the agency further reports.
રશિયા અને યુક્રેન વચ્ચે તુર્કિની રાજધાની ઈસ્તંબુલમાં થઈ 3 કલાક વાતચીત
આજે ડેનમાર્કની સંસદમાં પોતાના સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે મારિયોપોલમાં રશિયાનો હુમલો યુદ્ધ અપરાધ છે. રશિયાએ માનવતા વિરુદ્ધ અપરાધો કર્યા છે. યુક્રેને સુરક્ષાની ગેરંટી માંગી છે અને આંતરરાષ્ટ્રીય કરારની અપીલ કરી છે.
શાંતિ માટે પહેલાં યુદ્ધ રોકવું જોઈએ, ઝેલેન્સ્કીએ મૂકી હતી શરત
Russian negotiator says 'meaningful' talks held with Ukraine: AFP News Agency
શસ્ત્રોનાં યુદ્ધ સાથે શાબ્દિક યુદ્ધ પણ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. હવે ટાઈમ્સ મેગેઝિને એવો દાવો કર્યો છે કે, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને ખુલ્લી ધમકી આપી દીધી છે. જ્યારે રશિયામાં અધિકારીઓએ પુતિનને યુદ્ધ સમાપ્ત કરવા માટે ઝેલેન્સ્કીની શરતો જણાવી ત્યારે તેમની આ શરતો પર પુતિન બરાબર ભડક્યા હતા. પુતિને માત્ર એટલું જ કહ્યું હતું કે, 'ઝેલેન્સ્કીને કહી દો કે અમે તેમને બરબાદ કરી નાખીશું.રિપોર્ટ અનુસાર, ઝેલેન્સ્કીએ એક હસ્તલિખિત નોંધમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે યુક્રેનની શરતોની વિગતો આપી હતી. ઝેલેન્સ્કીએ એવી પણ શરત મૂકી હતી કે, શાંતિ માટે પહેલાં યુદ્ધ રોકવું જોઈએ અને આ શરત પુતિનને સ્વીકાર્ય નથી. ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું હતું કે, રશિયન નેતા પુતિન સામે રૂબરૂ વાતચીત દ્વારા જ યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. આ માટે પુતિન સાથે મુલાકાત કરવી આવશ્યક હોવાનું ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું. જ્યારે પુતિને એવું જણાવ્યું છે કે અમારી શરતો સ્વીકાર્યા બાદ જ મુલાકાત થઈ શકે અને આથી પુતિન ઝેલેન્સ્કી પર ભડક્યા હતા અને યુક્રેનને બરબાદ કરી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી
દરમિયાન, રવિવારે તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરીને યુક્રેનમાં યુદ્ધવિરામની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. યુક્રેનનું એક પ્રતિનિધિમંડળ રશિયા સાથે આજે યોજાનારી વાતચીત માટે તુર્કીના પાટનગર ઈસ્તંબુલ પહોંચી ગયું છે. યુક્રેન તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમારી પ્રથમિકતા યુદ્ધવિરામની રહેશે. હકીકતમાં પુતિન હાલના તબક્કે યુદ્ધવિરામ કરવાની તરફેણમાં નથી.