રાજ્યના 204 જળાશયોમાં માત્ર 34.90 ટકા જ પાણી બચ્યું છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં માત્ર 18 ટકાથી ઓછું જળસ્તર બચ્યું છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 17.73 ટકા જળ સ્તર છે.
ગુજરાતમાં હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં જ રાજ્યમાં જળસંકટ ઘેરુ બની ગયું છે. રાજ્યના 204 જળાશયોમાં માત્ર 34.90 ટકા જ પાણી બચ્યું છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં માત્ર 18 ટકાથી ઓછું જળસ્તર બચ્યું છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 17.73 ટકા જળ સ્તર છે.
જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 51.09 ટકા જળસ્તર રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 25.99 ટકા જળસ્તર રહ્યું છે. આ તરફ સૌરાષ્ટ્રના 138 જળાશયમાં 13.25 ટકા જળસ્તર રહ્યું છે. જ્યારે રાજ્યના જીવા દોરી સમાન સરદાર સરોવર ડેમમાં 48.98 ટકા જળસ્તર રહ્યું છે એટલે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પીવાના પાણીનું સંકટ ઉભું થઈ શકે છે.
આમ રાજ્યમાં ગત વર્ષે વરસાદ ઓછો થવાના કારણે જળ સંકટ થવાની શક્યતા છે. ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં જળ સંકટ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 120 જળાશયોમાં પાણીનું સ્તર તળિયે ઓછુ થયું છે. ડેમોમાં પાણી ઓછુ હોવાના કારણે આગામી દિવસોમાં પાણી ઓછુ થવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.