ગઇ કાલના મુકાબલે આજે દેશમાં કોરોના સંક્રમણમાં થોડોક ઘટાડો થયો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના આજે નવા 3451 કેસ નોંધાયા છે. જ્યારે 40 લોકોના મોત થયા છે. તો એક્ટિવ કેસ 20 હજારને પાર પહોંચી ગયા છે.
COVID19 | 3,451 new cases and 40 deaths recorded in India in the last 24 hours; Active caseload stands at 20,635 pic.twitter.com/xaWvbmkdSJ
તમને જણાવી દઈએ કે, શનિવારે દેશમાં નવા 3,805 કેસ નોંધાયા છે. આજના કેસ ગઈ કાલ કરતા 9 ટકા ઓછાં છે. ગઈ કાલે દેશમાં મૃત્યુઆંક 22 હતો, જ્યારે આજના આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના મૃત્યુઆંકમાં વધુ 40 લોકોના મોત થયા છે.
એક્ટિવ કેસની વાત કરીએ, તો સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, હાલમાં ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 20,635 છે. એક્ટિવ કેસોનો દર 0.05% પર ચાલી રહ્યો છે. આ સાથે જ રિકવરી રેટ 98.74% છે. છેલ્લાં 24 કલાકમાં 3,079 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. મહામારીની શરૂઆતથી દેશમાં અત્યાર સુધીમાં 4,25,57,495 લોકો કોવિડમાંથી સ્વસ્થ થઇ ગયા છે.
હાલમાં દૈનિક પોઝિટિવિટી દર 0.96% પર ચાલી રહ્યો છે
જો આપણે સંક્રમણ દર પર નજર કરીએ તો હાલમાં દૈનિક પોઝિટિવિટી દર 0.96% પર ચાલી રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.83% પર છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 84.06 કરોડ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ સાથે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 3,60,613 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 190.20 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.