UBI, PNB, OBC બેંકોનો વિલય કરવા માટે સરકારે 34 ટીમોનું ગઠન કર્યું છે. આવતા વર્ષે એક એપ્રિલથી આ ત્રણેય બેંકોની વિલયની પ્રક્રિયા પૂરી થઇ જશે. વિલય બાદ પણ ત્રણ બેંકોને એક કરવામાં બેંકને 12 થી 14 મહિના લાગશે
કેન્દ્ર સરકારે 34 ટીમોનું ગઠન કર્યું છે જે યૂનિયન બેંક ઑફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને ઓરિયન્ટલ બેંક ઑફ કૉમર્સના વિલયની પ્રોસેસ પૂરી કરશે. આવતા વર્ષે એક એપ્રિલથી આ ત્રણેય બેંકોની વિલયની પ્રક્રિયા પૂરી થઇ જશે.
યૂનિયન બેંક ઑફ ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ તમામ ટીમો વિલયથી જોડાયેલી મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. પ્રત્યેક બેંકથી બે સભ્યોને લેવામાં આવ્યા છે, જે દરેક વિભાગના વિલયના કાર્યોને જોશે. યૂનિયન બેંક ઑફ ઇન્ડિયા હાલ કલકત્તા, ગુવાહાટી અને પટનામાં ગ્રાહકોની સાથે મળી ચુકી છે અને એમને વિલયથી થનારી ગેરસમજને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
યૂબીઆઇના પ્રબંધ નિદેશક અને સીઇઓ એકે પ્રધાને કહ્યું કે,
એક એપ્રિલથી બેલેન્સ શીટનું વિલય થઇ જશે. ત્યારબાદ પણ ત્રણથી છ મહિવા એચઆર અને આઇટીનો વિલય કરવામાં લાગી જશે. વિલય બાદ પણ ત્રણ બેંકોને એક કરવામાં બેંકને 12 થી 14 મહિના લાગશે. ત્રણ બેંકોના વરિષ્ઠ અધિકારીઓએ તાજેતરમાં જ બેઠક પણ કરી હતી.
બની જશે એસબીઆઇ બાદ બીજી સૌથી મોટી બેંક
વિલય પૂર્ણ થઇ ગયા બાદ આ ભારતીય સ્ટેટ બેંક બાદ, પંજાબ નેશનલ બેંક દેશની બીજી સૌથી મોટી બેંક બની જશે. યૂબીઆઇનો કુલ વેપાર 18 લાખ કરોડ રૂપિયા થવાની આશા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 10 બેંકોનો વિલય કરીને ચાર બેંક બનાવવાની જાહેરાત કરી હતી.
કેવી રીતે થશે રેંકિંગ
વિલય બાદ આ બેંકોનો કુલ વેપાર 55.81 લાખ કરોડ રૂપિયાનો થઇ જશે. બેંકોના વિલય બાદ એના રેંકિંગમાં વધારો થઇ જશે. તમને જણાવીએ કે બેંકોના વિલય બાદ એનું નવું નામ શું હશે અને શું એનું દેશમાં રેંકિંગ થઇ જશે.