દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ખતરાની વચ્ચે એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં આંધ્ર પ્રદેશ, બેંગ્લોર, દિલ્હી અને મહારાષ્ટ્રમાં શંકાસ્પદ કેસો જોવા મળી રહ્યો છે.
દિલ્હી એરપોર્ટ પર 6 યાત્રીઓનો રિપોર્ટ કોવિડ પોઝિટીવ આવ્યો
બેંગ્લોરમાં પણ 10 વિદેશી યાત્રીની દક્ષિણ આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી મળી
મહારાષ્ટ્રમાં શંકાસ્પદ દર્દીઓની સંખ્યા 28 પર પહોંચી
નવા વેરિયન્ટ ની વચ્ચે દેશના ચાર રાજ્યોમાં શંકાસ્પદ કેસો જોવા મળ્યાં
કોરોનાના નવો વેરિયન્ટ ઓમિક્રોનના બે કેસો કર્ણાટકના બેગ્લોરમાં મળ્યાં બાદ સમગ્ર દેશ એલર્ટ થઈ ગયો છે. તો વળી બીજી તરફ દેશના વિવિઘ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ મામલે બેઠક બોલવી છે. ત્યારે શુક્રવારે વધુ એર ચોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે. જેમાં આંધ્ર પ્રદેશ, બેંગ્લોર, દિલ્હી મહારાષ્ટ્રમાં શંકાસ્પદ કેસો જોવા મળી રહ્યો છે. આ તમામના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
દિલ્હી એરપોર્ટ પર 6 યાત્રીઓનો રિપોર્ટ કોવિડ પોઝિટીવ આવ્યો
દેશમાં અત્યાર સુધી કર્ણાટકમાં બે લોકો ઓમિક્રોન વાયરસથી સંક્રમિત થયા સમાચાર સામે આવ્યાં છે. ત્યારે ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ લેન્ડ થઈ હતી. તેમજ એક ફ્લાઈટ પેરિસથી પણ આવી હતી.જેમાંથી સરેરાશ 3 હજાર લોકો દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતાં. જેમાંથી 6 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે.
We will trace &track & test them ('missing' passengers from South Africa) today: K'taka Revenue Minister R Ashoka pic.twitter.com/R8507vJNeo
બેંગ્લોરમાં પણ 10 વિદેશી યાત્રીનો દક્ષિણ આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી
બીજી તરફ કર્ણાટકના બેગ્લોરમાં દક્ષિણ આફ્રિકાન દેશોમાંથી આવેલા 10 વિદેશી નાગરિકોની ગુમ થઈ ગયાં છે. ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન ખતરા વચ્ચે આફ્રિકાન દેશોમાંથી આવેલા 10 વિદેશી યાત્રીઓ બેંગ્લોરના એરપોર્ટ પર ઉતર્યા હતાં. દરમિયાન સ્વાસ્થય વિભાગ અને બેંગ્લોર મહાનગર પાલિકાને ભારત આવેલા આ તમામ વિદેશી યાત્રીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. તંત્રને ના તો તેમનું ઠેકાણું કે અને ના તો સંપર્ક નંબર મળી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા 28 પર પહોંચી
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે રાજ્યમાં શંકાસ્પદ ઓમિક્રોન દર્દીઓની સંખ્યા હવે વધીને 28 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી ભારત પરત ફરેલા લોકોના સેમ્પલ પોઝિટિવ મળ્યા હતા અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું પરીક્ષણ કર્યા બાદ તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. મુંબઈમાં 10-11-2021 થી 2-12-2021 સુધી 2868 મુસાફરો મુંબઈ પહોંચ્યા હતા. જેમાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટથી મુંબઈ આવેલા 485 મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. 485માંથી 9 મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આંધ્રપ્રદેશમાં પણ છેલ્લા 10 દિવસમાં, વિદેશથી લગભગ 60 પ્રવાસીઓ અહીં આવ્યા છે, જેમાંથી 9 આફ્રિકાથી આવ્યા છે. 60માંથી 30 મુસાફરો વિશાખાપટ્ટનમમાં રોકાયા છે, જ્યારે બાકીના 30 મુસાફરો રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ જવા રવાના થયા છે. આંધ્ર પ્રદેશ સરકાર હવે આ 30 લોકોને શોધી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને સરકારે આ લોકોનો RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.