ગોંડલમાં વહેલી સવારે ભૂકંપ આંચકાથી ધરા ધ્રૂજી ઉઠી હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
વહેલી સવારે ગોંડલ અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા
વીરપુરમાં પણ અનુભવાયો આંચકો
સવારે 6:53 વાગે અનુભવાયો આંચકો
સૌરાષ્ટ્રમાં ધરા ધ્રૂજી
ગુજરાતનાં સૌરાષ્ટ્રની ધરા બુધવારે વહેલી સવારે ધણધણી ઉઠી હતી. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોનાં મનમાં ભય જોવા મળ્યો હતો. ગોંડલ અને તેની આસપાસના વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો.
ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ
નોંધનીય છે કે સવારે 6:53 આ આંચકા અનુભવાયા હતા જેમા ખાસ કરીને ગોંડલ અને વિરપુરમાં આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.4 નોંધાઈ છે જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 22 કિમી દૂર હતું.
ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
ભૂકંપ જેવી કુદરતી આપદાનો કોઈ અંદાજો આવી શકતો નથી. ત્યારે ભૂકંપ આવતો કઈ વાતનું ધ્યાન રાખવું તે લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકોએ ભૂકંપ આવે ત્યારે તુરંત ઓફિસ કે ઘરે હોય ખુલ્લા મેદાન તરફ ભાગવું અને ઈમારત, વીજળીના થાંભલા કે કોઈ દરવાજા હોય ત્યાથી દૂર રહેવું. આ ઉપરાંત અનેક ઉપાયો છે જે ભૂકંપથી રક્ષા કરી શકે છે.