સરકારે ખાનગી ટ્રેનનાં મુસાફરો અને તેમની ક્રેડિબીલિટી જાળવી રાખવા માટે 3 ટ્રેનાં મુસાફરોને અન્યાય કરી કેન્દ્ર સરકાર હસ્તક ટ્રેનોની બચેલી ક્રેડિટને દાવ પર લગાવી તેના સમયમાં ફરેફાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી ટ્રેનોનાં ભાડા સામાન્ય વર્ગનાં મુસાફરોને પરવડે તેવા છે. જ્યારે તેજસનું ભાડુ આર્થિક રીતે સદ્ધર પરિવારને પરવડે છે. અહીં આર્થિક રીતે નબળા અને સબળા વચ્ચેનો ભેદ દર્શાવતી બેવળી નીતિ છતી થઈ રહી છે.
તેજસ ટ્રેન સવારે 6.40 વાગે અમદાવાદથી મુંબઈ જવા રવાનાં થશે. જે મુંબઈ બપોરે 1.10 વાગે પહોંચશે. આ ટ્રેન જો 1 કલાક મોડી પડે તો રૂ 100 અને 2 કલાક મોડી પડે તો રૂ 250નું મુસાફરોને વળતર ચુકવવામાં આવશે. તેમજ પેસેન્જરને 25 લાખનો અને સામનનો 1 લાખનો વીમો તેજસમાં ચુકવવામાં આવે છે. આ ખાનગીટ્રેનને ટ્રેન લેટ પહોંચે અને વળતર ન ચૂકવવું પડે તે માટે સરકારે પોતાની ટ્રેનોનાં સમય બદલી નાંખ્યાં
શું ખાનગીટ્રેનની ટિકિટ ખરીદનારનાં સંબંધ
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 55 મિનિટ, નવજીવ એક્સપ્રેસ 25 મિનિટ મોડી ઉપડશે. જ્યારે સવારે મુંબઈથી ગુજરાત આવનારી 11 ટ્રેનો, મુંબઈથી અમદાવાદ આવનારી 16 ટ્રેનો અને 4 મેમુ ટ્રેનોનાં સમયમાં 5થી લઈ 10 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદે સવારે 6.35 વાગે ઉપડનારી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં સૌથી વધારે નોકરીયાત વર્ગ મુસાફરી કરે છે. જેમાં નડિયાદ, આણંદ, વડોદરા અને અન્ય શહેરોમાં નોકરી માટે ટ્રાવેલ કરે છે. આ તમામ નોકરીયાત વર્ગ જેઓ ટ્રેન પાસ ધરાવે છે તેઓ નોકરી પર 55 મિનિટ મોડા પહોંચશે.
તેજસમાં વેકેશન અને તહેવારોમાં ઓફ સિઝનની સરખામણી ભાડું વધારે રહેશે
તેજસમાં ચેરકારનું ભાડું 1300થી શરુ થશે જેમાં એક્ઝિકયુટિવ ચેરકારનું ભાડું 2400 હશે. એકઝિક્યુટીવ ચેરકારમાં દરેક સીટ પાછળ એલઈડી સ્ક્રીન રહેશે જેમાં મુસાફરોને મંનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોનાં ટ્રેનમાં ચા, કોફી, બ્રેકફાસ્ટ અને લંચ કે પછી ડિનરના પૈસા ટિકિટમાં જ વસૂલી લેવાશે. આ ટ્રેનમાં કોઈ વીઆઈપી ક્વોટાની સુવિધા નથી. તેમજ 5 વર્ષથી મોટા બાળકની આખી ટિકીટ લેવાની રહેશે. તેજસનું બુકિંગ 2 મહિનાં પહેલા કરાવવાનું રહેશે. ટ્રેનમાં ફ્લાઈટની જેમ ડાયનેમિક ફેર સિસ્ટમ હશે. જેથી ડિમાન્ડ વધતા ભાડામાં પણ વધારો થશે.
આ ટ્રેનોનાં સિડ્યુલ મોડા કરવામાં આવ્યાં
આ ટ્રેનોનાં સમય 5થી55 મિનિટ મોડા કરવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદથી ચેન્નઈ નવજીવન એક્સપ્રેસ, પોરબંદરથી મુંબઈ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, હિસારથી સિકંદરાબાદ એક્સપ્રેસ, ભૂજથી દાદર એક્સપ્રેસ, શ્રી ગંગાનગરથી નાંદેડ એક્સપ્રેસ, , ઉદયપુરથી મૈસૂર એક્સપ્રેસ, જોધપુરથી ચેન્નઈ એગ્મોર એક્સપ્રેસ, જયપુરથી બાંદ્રા એક્સપ્રેસ અને ઉદયપુરથી બાંદ્રા એક્સપ્રેસ
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નવા શિડ્યૂલ પ્રમાણે કેટલી મોડી?