નવસારી જીલ્લામાં 33 લોકોને બચાવવા માટે રાહત-બચાવ શરૂ છે. ત્યાં વાયુસેનાની ટીમ પણ મોકલવામાં આવી છે. વરસાદથી મચેલી તબાહીને જોતા એનડીઆરએફએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 8 ટીમોને તૈનાત કરવામાં આવી છે.
વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાયા છે ત્યારે ઠેર ઠેર ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યુ હતું. નવસારીના ઝીંગા તળાવમાં 33 લોકો ફસાયા હતા. જેનું રેસ્ક્યું કરીને તમામ લોકોને બચાવીને નવસારીથી એરલિફ્ટ કરી અને સુરત લઈ જવામાં આવ્યા.
પુરમાં સાયેલા લોકોને બચાવવા માટે વાયુસેનાના 2 હેલીકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. ત્યાંથી કેટલાક લોકોનો નિકાલ કરવામાં આવ્યો છે. ત્યારે, ખડવલીના નંદખુરી ગામમાં 35 લોકો સાયેલ છે. તેમના બચાવવા માટે વાયુસેનાએ એમઆઇ-17 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
Gujarat: Two Indian Air Force helicopters rescue people stuck in flood at Mendhar village of Gandevi taluka in Navsari district. pic.twitter.com/uMEd5fQhev
તો છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદના કારણે ક્વાંટમાં પૂરની સ્થિતિ સર્જાતા એક યુવક પાણીમાં તણાયો હતો. પૂરના પાણીમાં તણાઈ રહેલા યુવકનું સ્થાનિકોએ મળીને રેસ્ક્યુ કર્યુ હતું. 4 ગ્રામજનોએ હિંમત દાખવીને યુવકનો જીવ બચાવ્યો હતો.
આ તો થઈ રેસ્ક્યુની વાત પરંતુ વરસાદી માહોલમાં લોકોની બેદરકારી પણ સામે આવી હતી. વલસાડમાં ભારે વરસાદથી ડેમ અને નદીઓ છલકાઇ છે. ત્યારે છલકાયેલા ડેમનો નજારો જોવા લોકોના ટોળા ઉમટ્યા છે.
જોકે, અહીં ઉત્સાહમાં આવેલા સહેલાણીઓ ભાન ભૂલ્યા હતા અને જીવ જોખમમાં મુકીને નદી કિનારા પર સેલ્ફી લીધી હતી. ધસમસતો પ્રવાહ ચાલુ હોવા છતાં કિનારે સેલ્ફી લેવા પડાપડી થઈ હતી.
આપને જણાવી દઈએ કે, મધુબન ડેમમાંથી 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે. પૂરની સ્થિતીને કારણે તંત્રએ નદી પાસે ન જવા સૂચના આપી છે. ત્યારે ચેતવણીને અવગણીને લોકોએ સેલ્ફી માટે જીવ જોખમમાં મુકી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં રવિવારે ભારે વરસાદની સંભાવના છે. અહીં કેટલાક નદીઓ પહેલા ખતરાના નિશાન પર છે. તેના કારણે મોટી સંખ્યામાં મગર તણાઇને શહેરમાં આવી ગયા છે. હાલમાં વડોદરાના રોડ પર મગર જોવા મળ્યા હતા. વરસાદથી મચેલી તબાહીને જોતા એનડીઆરએફએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 8 ટીમોને તૈનાત કરી છે.