ઉત્તરપ્રદેશના રાયબરેલી કોરોના વાયરસના નવા કેન્દ્ર બની ગયા છે. મંગળવારે અહીં એક સાથે 33 નવા કોરોના દર્દી સામે આવ્યા છે. નવા દર્દીઓ મળ્યા બાદ જિલ્લામાં હવે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 35 થઇ ગઇ છે. એક સાથે 33 દર્દી પોઝિટિવ મળતા જિલ્લા તંત્ર અને સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે, કારણ કે અત્યાર સુધી જિલ્લામાં માત્ર 2 દર્દી મળ્યા હતા, જેનાથી તમામ અધિકારી રાહતનો શ્વાસ લઇ રહ્યા હતા.
કોરોના વાયરસનો કહેર
રાયબરેલીમાં 33 નવા કોરોના પોઝિટિવ કેસ
30 તબલીગી જમાતથી જોડાયેલ
અધિકારીઓએ જણાવ્યું કે સહારનપુરથી આવેલા બે લોકોની પોલીસે 14 દિવસ પહેલા રાયબરેલીના બછરાવાંથી ધરપકડ કરી હતી. તપાસમાં બન્ને શખ્સો કોરોના નેગેટિવ આવ્યા હતા, જો કે તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. બન્નેના રિપોર્ટ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોને કૃપાલુ ઇન્સટિટ્યૂટમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.
જણાવાય રહ્યું છે કે જે કોરોના પોઝિટિવ મળ્યા છે, આ દર્દી એજ બે સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા. પોઝિટિવ આવેલા તમામ 33 દર્દીઓને રોહનિયા સીએચસીમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
શાકભાજી વેચતા હતા સંક્રમિત, એટલા માટે મુશ્કેલી વધી
રાયબરેલીમાં સંક્રમિત મળેલા લોકોને લઇને જિલ્લા તંત્ર એટલા માટે વધુ ગંભીર છે, કારણ કે વધુ પડતા ફળ-શાકભાજીની લારી લગાવતા હતા. આ લોકો શેરીઓમાં જઇને ફળ-શાકભાજી વેચતા હતા. જિલ્લા તંત્ર માટે મુશ્કેલી છે કે તેઓ જાણ કરે કે આ લોકોએ ક્યા ક્યા અને કોણે કોણે ફળ શાકભાજી વેચ્યા.