સૌરાષ્ટ્રના કદાવર સહકારી નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયા હવે આપણી વચ્ચે નથી રહ્યા. લાંબા સમયથી બીમારી સામે ઝઝુમી રહેલા વિઠ્ઠલ રાદડિયાનું આજે સવારે 61 વર્ષની વયે નિધન થયું છે. વિઠ્ઠલ રાદડિયાનો જન્મ 8 નવેમ્બર 1958માં જામકંડોરણામાં થયો હતો.
વિઠ્ઠલ રાદડિયાની રાજકીય સફર:
વિઠ્ઠલ રાદડિયાની રાજકીય સફર 1987માં શરૂઆત થઈ હતી. 1997માં વિઠ્ઠલ રાદડિયા જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા અને બાદમાં વર્ષ 1990માં પ્રથમ વાર ધારાસભ્ય બન્યા હતા અને 2009 સુધી ધારાસભ્ય રહ્યા હતા.
જ્યારે 1996થી 98 સુધી રાદડિયા ખાણ-ખનિજ અને સહકાર ખાતાના મંત્રી રહ્યા હતા. 1997થી 98 સુધી સિંચાઈ ખાતાના કેબિનેટ મંત્રી રહ્યા હતા. આ ઉપરાંત રાદડિયા 2000થી 2003 સુધી રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. સાથે જ 2009થી 2019 સુધી પોરબંદર બેઠક પર સાંસદ રહ્યા હતા અને 2013 બાદ ભાજપમાં જોડાયા હતા. જ્યારે 2004માં વિઠ્ઠલ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર રહ્યા હતા. જ્યારે 1995થી 2018 સુધી RDC બેંકના ચેરમેન પણ રહ્યા હતા.