અમદાવાદઃ ગુજરાતમાં આજે અપશુકનિયાળ શનિવાર સાબિત થયો છે. સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ ભાવનગર અમરેલી વડોદરા હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશમાં અકસ્માત થતાં અપશુકનિયાળ શનિવાર સાબિત થયો છે.
ભાવનગરમાં સિમેન્ટ ભરેલી ટ્રક પલટાતાં 19ના મોત
આ તરફ ભાવનગરમાં બાવલિયારી નજીક ટ્રક પલટી જતાં 19 લોકોના મોત નિપજ્યા છે. તો 6 લોકો ઘાયલ થયા છે. ભાવનગર-અમદાવાદ હાઈ-વે પરની ઘટના છે. જ્યાં સિમેન્ટ ભરેલા ટ્રક પર 25 લોકો સવાર હતા.
તે સમયે અચાનક ટ્રક પલટી જતાં સિમેન્ટની થેલીઓ નીચે દટાઈ જતાં 19 લોકોના મોત નિપજ્યા છે. મૃતકો તળાજાના સરતાનપર અને આસપાસના રહેવાસી છે. મતકોમાં 12 મહિલા 4 પુરુષ અને 3 બાળકનો સમાવેશ થાય છે. તો ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.
Gujarat: 19 people killed 7 injured after a cement laden truck turned turtle on Bhavnagar-Ahmedabad highway near Bavalyali village in Bhavnagar this morning. pic.twitter.com/2RIkj90nBx
વડોદરામાં એક સાથે 5 વાહનો ટકરાયા - સ્કૂલવાન ટ્રક ટ્રેક્ટર વાન ટેમ્પો વચ્ચે અકસ્માત
વડોદરામાં દેના ચોકડી પાસે 5 વાહનો વચ્ચે અકસ્માત થયો છે. સ્કૂલવાન ટ્રક ટ્રેક્ટર વાન ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. અને અકસ્માતને કારણે હરણી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
જોકે અકસ્માતમાં કોઈ લોકોને ઇજા પહોંચી નહતી. પરંતુ વાહનોને બહુ મોટુ નુકસાન થયું હતું. બીજી તરફ અમદાવાદ સુરત હાઈવે પર પણ અકસ્માત થયો હતો.
અમરેલી કુકાવાવમાં શોટસર્કિટથી 5 મજૂરના મોત
બીજી તરફ અમરેલીના કુકાવાવમાં શોર્ટસર્કિટથી ડોમ દૂર કરી રહેલા 5 મજૂરો મોતને ભેટ્યા હતા. ડોમ દૂર કરી રહેલા મજૂરો મોતને ભેટ્યા હતા. જોકે શિવકથા પૂર્ણ થયા બાદ મજૂરો ડોમ ખોલી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી.
ગુજરાતીઓને બિલાસપુર જિલ્લામાં નડ્યો અકસ્માત 15 લોકોને ઈજા
તો હિમાચલ પ્રદેશમાં ગુજરાતીઓને અકસ્માત નડ્યો હતો. હિમાચલ પ્રદેશમાં ગુજરાતીઓને અકસ્માત નડ્યો છે. બિલાસપુર જિલ્લાના NH 21 પર બસ પલ્ટી મારતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં 15 લોકોને ઈજા થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગાંધીનગર પાર્સિગની બસને ઘઘાસ ગામે અકસ્માત નડ્યો હતો.
Himachal Pradesh: 15 people injured after the bus they were in turned turtle on NH 21 in Ghaghas village of Bilaspur district. The bus was carrying 30 tourists from Gujarat. pic.twitter.com/eTAhqWuC0b
ઉત્તર પ્રદેશમાં અકસ્માતમાં 8 લોકોના મોત
ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના રજપુરા થાનાના ગવાં ટી પોઇન્ટ પર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. આ ઘટના સવારે સવા ત્રણ વાગ્યે બની હતી. જણાવી દઇએ કે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ટેક્ટર ટ્રોલી પર સવાર થઇને 16 લોકો અલીગઢ જઇ રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી.