આવતીકાલના સંસદના શિયાળુ સત્રના પ્રારંભ પહેલા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ બીલને લઈને મહત્વની જાહેર કરી છે.
આવતીકાલથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ
સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીનું નિવેદન
32 બીલ સંસદમાં રજૂ કરવામાં આવશે
અગ્નિપથ યોજના પર પણ ચર્ચા કરવા તૈયાર
આવતીકાલથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. સંસદના શિયાળુ સત્ર પહેલા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ મહત્વની માહિતી આપી છે.
32 bills have been indicated from various departments will be presented in this session of Parliament. 14 bills are ready. We will not pass the bills without discussion: Union Parliamentary Affairs minister Pralhad Joshi on Monsoon session of Parliament pic.twitter.com/hIzhECnLFv
32 બીલ સંસદમાં રજૂ કરવામાં આવશે, ચર્ચા વગર એક પણ બીલ નહીં-પ્રહલાદ જોશી
મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે વિવિધ વિભાગોના 32 બીલ સંસદમાં રજૂ કરવામાં આવશે. 14 બીલ તૈયાર છે અને ચર્ચાવિચારણા વગર એક પણ બીલને પાસ નહીં કરવામાં આવે.
અગ્નિપથ યોજના પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર
અગ્નિપથ યોજનાને લઈને બોલતા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી જોશીએ કહ્યું કે સરકાર નિયમો પ્રમાણે તમામ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.
Oppn trying to make issues out of non-issues as they don't have anything against Govt: Union Minister Pralhad Joshi after all-party meet
સંસદમાં એક પણ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો નથી
તેમણે કહ્યું કે સંસદમાં એક પણ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો નથી. લોકસભા સચિવાલય દ્વારા અસંસદીય શબ્દો બહાર પાડવામાં આવ્યો છે.
Govt open for discussion on all issues under rules, procedures of Parliament: Pralhad Joshi on demand for discussion on Agnipath scheme
2014માં પણ કોંગ્રેસના પીએમ સર્વપક્ષીય બેઠકમાં આવતા નહોતા- જોશી
પ્રહલાદ જોશીએ કહ્યું કે વિપક્ષ સંસદની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યો છે. 2014 માં જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે પણ પ્રધાનમંત્રી સર્વપક્ષીય બેઠકમા આવતા નહોતા અને હવે કોંગ્રેસ આ વાતનો મુદ્દો બનાવી રહી છે.