ભારત દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સીનેશન અભિયાનની તૈયારી કરી રહ્યું છે. તેને લઈને સરકારની તરફથી ફૂલ પ્રૂફ પ્લાનિંગ છે. વેક્સીન કઈ રીતે લોકો સુધી પહોંચાડવી તેની ખાસ તૈયારી થઈ છે. જેમાં રોજ 100 લોકોને વેક્સીન આપવાની તૈયારી છે. ગુજરાત,પંજાબ,આસામ,આંધ્રપ્રદેશમાં ડ્રાયરનનું પરિણામ સકારાત્મક જોવા મળ્યું છે.
રોજ 100 વ્યક્તિને વેક્સિન આપવાના લક્ષ્ય સાથેની તૈયારી
30 કરોડ લોકોને અપાશે વેક્સીન
મળતી માહિતી અનુસાર કોરોના વેક્સીન માટે સરકાર, ઇન્ડસ્ટ્રી અને અન્ય સ્ટેક હોલ્ડર્સની સાથે મળઈને એક ટીમ તૈયાર થઈ છે. કોરોનાને લઈને કોઈ પણ પ્રશ્નો માટે હેલ્પલાઈન નંબર 104 અને 1075 પહેલાંથી કાર્યરત છે. જેનાથી લોકોને યોગ્ય માહિતી અને મદદ મળી રહી છે. આજથી દેશમાં કોરોના વેક્સીનને લઈને ડ્રાય રન શરૂ થશે.
हम लखनऊ जनपद में 6 जगह वैक्सीन का ड्राई रन करेंगे। यह केजीएमयू, SGPGI , RML, सहारा और 2 जगह किया जाएगा। इसमें दर्शाया जाएगा कि मरीज़ को इंजेक्शन कैसे दिया जाएगा, ऑब्जर्वेशन कमरे में कैसे रखेंगे, अगर कोई रिएक्शन होता है तो इलाज़ कैसे किया जाएगा: UP स्वास्थ्य मंत्री जय प्रताप सिंह pic.twitter.com/RXRIkkojiB
દિલ્હીમાં દક્ષિણ પશ્ચિમ જિલ્લાના વેંકટેશ્વર હોસ્પિટલ, મધ્ય દિલ્લાના દરિયાગંજ ઔષધાલય, શાહદાર જિલ્લામાં ગુરુતેગ બહાદુર હોસ્પિટલમાં કરાશે. જ્યારે ઝારખંડ, રાંચી, પૂર્વી સિંહભૂમ, ચતરા, પલામૂ અને પાકુડમાં કોરોના વેક્સીન મોક ડ્રિલ અભિયાન ચાલુ રહેશે. કર્ણાટકની વાત કરીએ તો એહીં બેંગલૂરુ શહેરી ક્ષેત્ર, બેલાગવી, કાલાબુરાગી અને મૈસુર અને શિવમોગ્ગામાં અભિયાન ચાલુ રહેશે. આ સાથે તમિલનાડુમાં ચેન્નઈ નિલગીરી, તિરુનેવલેવી, તિરુવલ્લૂર અને કોઈમ્બતૂરમાં આ મોક ડ્રિલનું સંચાલન કરાશે. કેરળમાં આ મોક ડ્રિલ તિરુવનંતપુરમ, ઈડુક્કી, પલક્કડ અને વાયનાડમાં યોજાશે.
આ રીતે વેક્સીનેશન પોઈન્ટ સુધી પહોંચશે કોરોનાની વેક્સીન
વેક્સીન સપ્લાય સિસ્ટમ માટે મળતી માહિતિ અનુસાર દેશમાં 31 મોટા સ્ટોક હબ હશે. આ સ્ટોક હબથી દરેક રાજ્યોને 29 હજાર વેક્સીનેશન પોઈન્ટ્સ સુધી વેક્સીનના સપ્લાય કરાશે. સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે લોકોને વેક્સીનેશનમાં આર્થિત બાબતો નડશે નહીં.
Dry run for #COVID19 vaccine administration to be conducted in all States/Union Territories today in 116 districts across 259 sites: Ministry of Health & Family Welfare pic.twitter.com/v8pEwnzwXh
કોરોના ડેથ ઘટાડવા માટે હાઈ રિસ્ક ગ્રૂપના પહેલાં કરાશે વેક્સીનેશન
આ સમયે વેક્સીનેશનને લઈને ફ્રંટલાઈન વર્કર્સ અને 50થી વધુ ઉંમરના લોકો પ્રાથમિકતામાં છે. દેશની જનસંખ્યાનું વેક્સીનેશન પહેલાં ફેઝમાં કરાશે નહીં. કોરોનાના કારણે મોતની સંખ્યા ઘટી રહી છે માટે હાઈ રિસ્ક વાળા લોકોને લિસ્ટમાં પહેલાં સામેલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે એક્સપર્ટ પેનલે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી છે. હવે ડીજીસીએએ તેની પર નિર્ણય લેવાનો છે. બ્રિટનમાં આ વેક્સીનને ઈમરજન્સી યૂઝ માટેની મંજૂરી મળી ચૂકી છે.