નાણાંકીય દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. 31 માર્ચના રોજ ઘણા જરુરી અને અગત્યના કાર્યોની ડેડલાઇન છે, જેને પૂરી ના કરવાની સ્થિતિમાં તમારા ખીસા પર અસર પડી શકે છે. આજે એવા જ અગત્યના પાંચ જરુરી કાર્યો વિશે જાણીએ જે 31 માર્ચ પહેલા પૂર્ણ કરવા ખૂબ જ જરુરી છે. જો આમ ના કરવામાં આવે તો તમને નુકશાન થઇ શકે છે એટલે તેની સીધી અસર તમારા ખીસા પર જ થશે.
જો તમે હજી સુધી પેન અને આધાર કાર્ડ લિંક કર્યુ નથી તો આ કામ ઝડપથી પૂર્ણ કરી લો. 31 માર્ચ પહેલા પેન આધાર લિંક કરવા પર તમને 1,000 રુપિયાનો દંડ ભરવો પડશે. તથા આમ ના કરવા પર પેન કાર્ડ ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે. તે સાથે જ પેનને બીજી વખત એક્ટિંવેટ કરાવવા પર 10,000 રુપિયાનો દંડ લાગશે.
ગણતરીના દિવસોમાં જ નાણાંકીય વર્ષ 2022-23 પૂર્ણ થશે. જો હજી સુધી તમે ટેક્સ સેવિંગમાં ઇન્વેસ્ટ નથી કર્યુ તો ઝડપથી કરી લો. જો તમે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, ફિક્સ્ડ ડિપોઝિટ વગેરે જેવી સ્કિમમાં ઇન્વેસ્ટ કરીને આ નાણાંકીય વર્ષમાં ટેક્સ સેવિંગનો લાભ ઉઠાવી શકો છો.
મ્યુચુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરનારા લોકોને 31 માર્ચ સુધી નોમિનેશનની પ્રક્રિયાને પૂર્ણ કરવુ પડશે. આમ ના કરવા પર તમારા ખાતાને ફ્રીઝ કરી દીધુ છે.
માર્કેટ રેગ્યુલેટર અનુસાર, NSE NMF પ્લેટફોર્મ પર પોતાના મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડીને સત્યાપિત કરવાનું આવશ્યક છે. આમ કરવાથી ડેડલાઇન 31 માર્ચ સુધીની છે.
જો તમે હજી સુધી આ નાણાકીય વર્ષમાં પીપીએફમાં 500 રુપિયા ટ્રાંસફર ના કર્યા તો ઝડપથી કરી લો. આમ ના કરવાથી આ સ્થિતિમાં 1 એપ્રિલથી તમારુ ખાતુ નિષ્ક્રિય થઇ જશે.