જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રામપરા ગામમાં બિરાજતા આઇ શ્રી રૂપલ માતાજીનો શ્રાવણ વદ આઠમના જન્મ દિવસ છે. ત્યારે કોરોના મહામારીના કારણે સાદાઈથી જ માં રૂપાલ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂપલ આઈનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો છે. મંદિરમાં જ હવન, પૂજા કરી ભગવાનની આરાધના સાથે જન્મ દિવસની ઉજવણી કરી છે. દર્શન માટે આવતા ભક્તોને સામાજિક અંતરનું પાલન કરી દૂરથી જ આશીર્વાદ આપ્યા હતાં. દર વર્ષે કૃષ્ણ જન્મ અને માતાજીનો જનમદિવસ એક સાથે ઉજવાય છે અને મોટો ઉત્સવ કરવામાં આવે છે. આ વખતે માતાજીનો 30મો જન્મ મહોત્સવ સાદાઇથી ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે. અને માતાજીના ભક્તો પોતાના ઘરે દિવડા પ્રગટાવી જન્મ દિવસની ઉજવણી કરવાનું પણ ભક્તો દ્વારા નકકી કરેલું છે.