પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાવર સેક્ટરમાં સુધારા માટે 3.02 લાખ કરોડનું ફંડ ફાળવાયું છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો
પાવર સેક્ટર માટે 3.03 લાખ કરોડનું ફંડ ફાળવાયું
24 કલાક વીજળી મળશે
પાવર સેક્ટર માટે થઈ આ જાહેરાત
મોદી સરકારે પાવર સેક્ટરના સુધારા માટે 3.03 લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ૨૮ જૂને વીજ વિતરણ યોજના માટે જ ૩ લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. જેને આજની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારો વતી પ્લાન માંગવામાં આવશે અને કેન્દ્ર સરકાર પૈસાની ફાળવણી કરશે. તે ઉપરાંત મોટા શહેરોમાં ઓટોમેટિક સિસ્ટમ પણ લાગુ કરાવની સરકારની તૈયારી છે.
4 લાખ કિલોમીટર એલટી ઓવરહેડ લાઇનને મંજૂરી
કોરોના સંકટ વચ્ચે ડિસ્કોમ્સની સ્થિતિ સુધારવા 250 મિલિયન સ્માર્ટ ડિજિટલ મીટર, 10,000 ફીડર અને 4 લાખ કિલોમીટર એલટી ઓવરહેડ લાઇનને મંજૂરી અપાઈ છે.
સસ્તા દરે વીજળી મળવાની સંભાવના
સરકારના ગ્રીન સિગ્નલથી હવે વીજ કંપનીઓ સસ્તા દરે વીજળી મેળવી શકશે. સ્માર્ટ મીટર પ્રોજેક્ટ્સ પર કામ કરતી કંપનીઓને પણ તેનો લાભ મળશે. વાસ્તવમાં મોદી સરકારનું મિશન દેશના દરેક જિલ્લા, શહેર અને ગામને 24 કલાક વીજળી પૂરી પાડવાનું છે. માનવામાં આવે છે કે આ ભંડોળ હવે આ યોજનાને મજબૂત કરશે. વાસ્તવમાં દેશમાં ડિસ્કોમની આર્થિક તંદુરસ્તી ઘણી બગડી છે અને સરકારની મંજૂરીથી ડિસ્કોમ્સની તંદુરસ્તી સુધારવાનું પણ કામ થશે.