વૈશ્વિક આર્થિક સંકટ અને મંદીની ચિંતા વચ્ચે કંપનીમાંથી છટણીની પ્રક્રિયામાં ઘણો વધારો થયો, જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધી 166 ટેક કંપનીઓએ 65,000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે.
166 ટેક કંપનીઓએ 65,000થી વધુ કર્મચારીઓની છટણી કરી
વર્ષ 2022માં 1,54,336 કર્મચારીઓની છટણી
સુરતમાં હીરા કામદારોની હાલત કફોડી
ભારત સહિત વૈશ્વિક સ્તરે જાન્યુઆરી મહિનો રોજગારની દૃષ્ટિએ ઘણો ખરાબ સાબિત થઈ રહ્યો છે. જણાવી દઈએ કે ટેક કંપનીઓમાં દરરોજ સરેરાશ 3,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યા છે. વૈશ્વિક આર્થિક સંકટ અને મંદીની ચિંતા વચ્ચે કંપનીમાંથી છટણીની પ્રક્રિયામાં ઘણો વધારો થયો છે. એક રિપોર્ટ મુજબ જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં 166 ટેક કંપનીઓએ 65,000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે.
વર્ષ 2022માં 1,54,336 કર્મચારીઓની છટણી
જણાવી દઈએ કે હાલ જ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે 12,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના જાહેર કરી છે તો માઇક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓને અને એમેઝોને પણ 18,000 લોકોની છટણી કરવાની વાત કરી છે. એમેઝોનના 18 હજાર કર્મચારીઓ માંથી 1000 કર્મચારીઓ ભારતમાં કામ કરી રહ્યા છે. આ સિવાય વર્ષ 2022માં એક હજારથી વધુ કંપનીઓએ તેના 1,54,336 લોકોની છટણી કરી હતી. આ બધા વચ્ચે શેરચેટે કુલ કર્મચારીઓમાંથી 20 ટકા અથવા 500 લોકોને કંપનીમાંથી કાઢી મૂકવાનું આયોજન બનાવ્યું છે.
વિપ્રો 400 કર્મચારીઓને કાઢી મૂક્યા
વિપ્રોએ 400 કર્મચારીઓને તેમના ખરાબ પ્રદર્શનને કારણે કંપનીમાંથી કાઢી મૂક્યા. આ સાથે જ સાયબર સિક્યોરિટી કંપની સોફોએ ભારતમાં 450 લોકોની છટણી કરવાની યોજના જાહેર કરી છે, આ સાથે જ LinkedIn એ છટણીની વાત કહી છે, સાથે જ ભારતમાં, એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ હેલ્થકેર પ્લેટફોર્મ MediBuddy એ તેના 8 ટકા અથવા લગભગ 200 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે તો સ્વિગીએ પણ 380 લોકોને છૂટા કરવાની યોજના કરી છે.
સુરતમાં હીરા કામદારોની હાલત કફોડી
આ બધા વચ્ચે ગુજરાતના સુરતમાં ઉત્પાદનમાં ઘટાડા અને નાના એકમો બંધ થવાને કારણે છેલ્લા કેટલાક મહિનામાં આશરે 10,000 હીરા કામદારોએ તેમની નોકરી ગુમાવી છે. આ કફોડી પરિસ્થિતિને કારણે 31 વર્ષીય હીરાના વેપારી વિપુલ જીંજાળાએ ગુરુવારે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, એમની આત્મહત્યા પર તેના ભાઈએ જણાવ્યું હતું કે તે છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ આર્થિક તંગીથી પરેશાન હતો. ગાલ સુરતમાં હજારો કામદારો તેમના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
મજૂર કાયદાના કડક અમલની માંગ
જો કે આ પરિસ્થિતિને જોતાં મજૂર યુનિયન શ્રમ કાયદાનો કડક અમલ કરવા અને તેને ફેક્ટરી એક્ટ હેઠળ આવરી લેવાની હાલ માંગ કરી રહ્યું છે. કામદારોને પ્રોવિડન્ટ ફંડ, ફિક્સ કામના કલાકો અને અન્ય સામાજિક અને આરોગ્ય સુરક્ષા લાભોની કરી રહ્યા છે, આ વિશે મજૂર સંઘનું કહેવું છે કે હીરા કામદારોને કોઈ સામાજિક સુરક્ષા નથી અને સેલેરી સ્લિપ પણ નથી મલ્ટી કે ન તો તેનું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવી રહ્યું છે.