કોરોના વાયરસની અસર જેલ પ્રશાસન પર પણ જોવા મળી છે. દિલ્હી સ્થિત તિહાર જેલ વહીવટી તંત્ર દ્વારા 3000 કેદીઓને છોડવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં 1500 કેદીઓ એવા છે જેને કોર્ટ દ્વારા અલગ-અલગ ગુન્હાઓ માટે સજા થઇ ચૂકી છે. તેમને આગામી 3 થી 4 દિવસમાં પેરોલ અથવા અન્ય રીતે છોડવામાં આવી શકે છે.
દેશમાં કોરોનાનો કહેર
3000 કેદીઓને છોડવાનો તિહાર જેલે લીધો નિર્ણય
ટૂંક સમયમાં હાથ ધરાશે કાર્યવાહી
તિહાડ જેલના ડીજી સંદીપ ગોયલે કહ્યું કે, આગામી 3 થી 4 દિવસમાં આ મામલા પર અમલ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, આશરે 1500 કેદીઓ એવા છે જેઓ અંડર ટ્રાયલ છે જેમને વચગાળાના જામીન આપીને છોડવામાં આવી શકે છે, ડીજી તિહાર જેલ સંદીપ ગોયલે કહ્યું કે, આ સાથે જોડાયેલ કાયદાની જોગવાઇ અંગે હાલ અધ્યયન કરવામાં આવી રહ્યું છે.
તિહાર જેલમાં આશરે 17,500 કેદી
Tihar Jail will release around 3000 inmates in the next 3-4 days. Of these, 1500 convicts will be released on parole and other 1500 undertrial prisoners to be released on interim bail: Tihar Jail administration #Delhipic.twitter.com/S8PvngAIpo
આપને જણાવી દઇએ કે, સૌથી મોટી તિહાર જેલમાં 17,500 કેદીઓ સજા કાપી રહ્યા છે. કોરોના વાયરસની અસર તિહાર જેલમાં પણ જોવા મળી રહી છે. જેલ વહીવટી તંત્રએ જેલમાં જ એક આઇસોલેશન વોર્ડ પણ બનાવ્યો છે. જ્યાં કેદીઓનું તાપમાન સતત ચેક કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ જે નવા કેદી અહીં આવી રહ્યા છે તેમની તપાસ કરવામાં આવી રહી છે અને તેમને 3 દિવસ અલગ-અલગ વોર્ડમાં રાખવામાં આવી રહ્યા છે.
ઝડપથી કોરોનાના દર્દીઓમાં થઇ રહ્યો છે વધારો
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 400ને પાર પહોંચી છે. આ સાથે જ 10 લોકોના મોત નીપજ્યા છે ત્યારે જેલ તંત્ર દ્વારા પણ કેદીઓને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હીમાં 31 માર્ચ સુધી લૉકડાઉનઃ અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આવતીકાલથી 31 માર્ચ સુધી દિલ્હીમાં લૉકડાઉન. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. ડીટીસીની 25 ટકા બસો ચાલશે. દિલ્હીની દુકાનો, બજાર બધુ બંધ રહેશે. દિલ્હીની બોર્ડર સીલ રહેશે પરંતુ બીજા રાજ્યોથી ખાવા-પીવાનો સામાન અને શાકભાજી લાવનાર વાહનોને મંજૂરી અપાશે. તમામ ફ્લાઇટ્સ બંધ, ધાર્મિક સ્થળો બંધ રહેશે.