મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાનો ચોંકાવનારો આકંડો સામે આવ્યો છે. માત્ર નવેમ્બર મહિનામાં 300 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. કમોસમી વરસાદમાં પાકને થયેલા નુકસાનને લઇ ખેડૂતોએ કરી આત્મહત્યા કરી છે. મરાઠવાડા અને વિદર્ભમાં સૌથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં 2019માં કુલ 2532 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
મહારાષ્ટ્રમાં 2019માં કુલ 2532 ખેડૂતોએ આત્મહત્યા કરી
માત્ર નવેમ્બર મહિનામાં 300 ખેડૂતોએ કરી આત્મહત્યા
મરાઠવાડામા 120 અને વિદર્ભમા 112 ખેડુતો કર્યો આપઘાત
મહારાષ્ટ્રમાં નવેમ્બર 2019માં ચાર વર્ષમાં પહેલી વાર એક જ મહિનામાં 300 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. રાજ્યમાં એક વાર મહિનામાં 300 ખેડૂતોએ આત્મહત્યા કરી હોય તેવું 2015માં થયું હતું. આ પછી આ ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 2019માં કુલ 2532 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
2015 પછી પહેલીવાર સામે આવ્યો આ આંકડો
ખેડૂતોની આત્મહત્યા મહારાષ્ટ્ર માટે છેલ્લા ત્રણ દાયકાથી ચેલેન્જ બની છે. સરકાર પણ તેમાં વિફળ સાબિત થઈ રહી છે. આંકડા સ્પષ્ટ કરે છે કે સ્થિતિ ગંભીર બની રહી છે. મહારાષ્ટ્રમાં નવેમ્બર મહિનામાં 300 ખેડૂતોએ આત્મહત્યા કરી. આ સંખ્યા 2015 પછી પહેલી વાર જોવા મળી હતી.
રાજકારણીઓ સત્તાની દોડમાં વ્યસ્ત હતા અને ખેડૂતોએ કરી આત્મહત્યા
રાજ્યના દરેક ધારાસભ્યો પાર્ટી માટે સત્તાની રેસમાં દોડી રહ્યા છે ત્યારે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ રાજ્ય માટે શરમની વાત છે. નવેમ્બરમાં 300 ખેડૂતોએ આત્મહત્યા કરી. તેના 1 મહિના પહેલાં એટલે કે ઓક્ટોબરમાં આ આંકડો 186નો હતો. એક મહિનામાં તે 61 ટકા વધ્યો.
કમોસમી વરસાદથી ખેડૂતોને થયું મોટું નુકસાન
ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યારે રાજ્યમાં વરસાદે કહેર વરસાવ્યો. અનેક ખેડૂતોનો પાક નાશ પામ્યો. રાજ્યના ખેડૂતોને એક કરોડથી વધારેનું નુકસાન વરસાદના કારણે સહમ કરવું પડ્યું હતું. જેના કારણે નવેમ્બર મહિનામા મરાઠવાડમાં 120 અને વિદર્ભમાં 112 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.
નવેમ્બરમાં વધ્યો આત્મહત્યાનો આંકડો
નવેમ્બરમાં આંકડો વધવાના કારણે જાન્યુઆરીથી નવેમ્બર સુધીના સમયમાં ગયા વર્ષની સરખામણીમાં વધારે આત્મહત્યા થઈ છે. 2018માં આ સમયે 2518 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જ્યારે 2019માં આ સમયે 2532 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.