દુનિયામાં આવી રીતે કોઈ તહેવારની ઉજવણી નહી થતી હોય. પરંતુ આપણા ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસે લોકો જુગાર રમીને આ તહેવારની ઉજવણી કરે છે.
ગુજરાતમાં એક દિવસમાં 300 જુગારી ઝડપાયા
ઠેર ઠેર ચાલતો હતો જુગાર
જન્માષ્ટમીને બનાવી દીધી જુગારાષ્ટમી
કૃષ્ણના જન્મદિવસના દિવસે જુગાર રમવો જોઈએ. આવું કોઈ શાસ્ત્રમાં લખ્યુ નથી. આમ છતા લોકો જુગારની લત છોડતા નથી. માત્ર પુરૂષો નહીં સ્ત્રીઓ પણ આ જુગારમાં પાછીપાની કરતી નથી. એક દિવસ પહેલા ગયેલ જન્માષ્ટમીમાં આખા રાજ્યમાં એક દિવસમાં 300 કરતા વધારે જુગારી ઝડપાયા છે. કોઈ એવો જિલ્લો નહી હોય કે જ્યાં જુગાર નહી ઝડપાયો હોય.
છોટાઉદેપુરના ડોલરિયા ગામમાંથી જુગારી ઝડપાયા
શ્રાવણીયા જુગાર પર સકંજો કસી રહી છે અને ઠેર ઠેર દરોડા પાડીને જુગારીયાઓને જેલ ભેગા કરી રહી છે. ત્યારે છોટા ઉદેપુરના ડોલરિયા ગામેથી શ્રાવણિયો જુગાર રમતા પાંચ જણાંને ઝડપી પાડવામાં આવ્યા હતા. છોટા ઉદેપુર જીલ્લાના ડોલરિયા ગામે એક મકાનમાં જુગાર રમાતો હતો, જેની બાતમી જીલ્લા એસ.ઓ.જી.ને મળતાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન પાંચ જુગારીઓ દાવ પર લાગેલા રૂ. 10 હજાર 300 સાથે ઝડપાઈ ગયા હતા. તેમની અંગ ઝડતી કરતાં તેમની પાસેથી રૂ. 21 હજાર 830 મળી આવ્યા હતા. ઉપરાંત અન્ય સામાન સહિત કુલ રૂ. 43 હજાર 130ના મુદ્દામાલ સાથે પાંચેય જણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રક્કા ગામમાં 29 જુગારી સકંજામાં
લાલપુરના રક્કા ગામમાં આ તમામ લોકો ભેગા થઈને જુગાર રમતા હતા. મોડી રાત્રે પોલીસે રેડ પાડતા આ તમામ 29 લોકોની ધરપકડ કરી છે. જ્યારે એક શખ્સ ફરાર છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હોવાની વાત સામે આવી છે. પુરી કાટનામાં હનીફ નાઈ કરીને જે માણસ જુગાર રમાડતો હતો, તે ફરાર થઈ ગયો છે.
નવસારીમાં 56 શકુનીઓ સકંજામાં
નવસારીમાં સાતમના દિવસે જુગાર ચાલતો હતો. પોલીસની રેડમાં 56 શકુનીઓની ધરપકડ કરી છે. પોલીસે 70 હજારની રોકડ સહિત 1.50 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. નવસારી જિલ્લા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ જન્માષ્ટમી પૂર્વે 10 જેટલી રેડ કરી હતી. ચીખલી પોલીસે લાલ આંખ કરી આમધરા ગામે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા 23 જુગારીયાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
બસ હવે સુધરો
દર વર્ષે હજારો જુગારી ઝડપાઈ છે. લાખો અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે. અનેક સામે પોલીસ ફરિયાદ પણ થાય છે. .પરંતુ સમાજમાં કોઈ સુધારો આવતો નથી. આજે પણ લોકો જન્માષ્ટીમીના તહેવારમાં જુગારના અડ્ડા ચાલું થઈ જાય છે. મહાભારત કે ગીતામાં જુગાર તહેવાર પર રમવો જોઈએ. આવી કોઈ વાત લખી નથી. આમ છતા 52 પાનાની ગીતા કોઈ છોડતા નથી. બીજી વાત છે એ જુગારને કારણે પાંડવોની પત્ની વેચાઈ ગઈ હતી. આવું જીવતો દાખલો છે. છતાં લોકો જુગારનો મોહ દુર થતો નથી.