મીડિયાના અહેવાલ મુજબ, કાર્યાલયની સામે ઓછામાં ઓછા 300 ભાજપના સમર્થકો ભૂખ હડતાળ પર બેઠા હતા.
બંગાળમાં હવે ભાજપમાં સંઘર્ષના એંધાણ
TMCમાં થઈ ભાજપના 300 કાર્યકર્તાઓની ઘરવાપસી
ભાજપના કાર્યકર્તાઓ પર ગંગાજળ છાંટીને કરાયું શુદ્ધીકરણ
ભાજપના 300 સમર્થકોની ટીએમસીમાં ઘરવાપસી
મીડિયાના અહેવાલ મુજબ, બીરભૂમમાં તૃણમુલ કોંગ્રેસ કાર્યાલયની સામે ઓછામાં ઓછા 300 ભાજપના સમર્થકો ભૂખ હડતાળ પર બેઠા હતા. સમર્થકોની માંગણી હતી કે તેમને ફરીથી ટીએમસીમાં લઈ લેવામાં આવે. જોકે, ત્યારબાદ ભાજપના 300 સમર્થકોનું ટીએમસીમાં જોડાણ કરવામાં આવ્યું અને ગંગાજળ છાંટીને તેમના મગજનું શુદ્ધીકરણ કરવામાં આવ્યું. ભાજપના કાર્યકર્તાઓની ભૂખ હડતાળ સવારે 8 વાગ્યાથી શરૂ થઈ હતી. જે ત્રણ કલાક સુધી 11 વાગ્યા સુધી ચાલી.
ભાજપ સાથે જોડાણ કર્યા બાદ અમને થયું નુકસાન
ખરેખર, ટીએમસી સાથે જોડાણ અંગેની હઠ સાથે ભૂખ હડતાળ પર બેઠેલા ભાજપના કાર્યકર્તાઓમાંથી એક એવા અશોક મંડલે કહ્યું કે, ટીએમસીમાં અમને પાછા લઈ લેવામાં આવે. અમે પોતાના ગામડાઓમા થતાં વિકાસને અટકાવી દીધો છે. ભાજપ સાથે જોડાણ કર્યા બાદ અમને ફાયદાને બદલે નુકસાન થયુ છે. અમે પોતાની ઈચ્છાથી ફરીથી પાછા આવવા માંગીએ છીએ. અમને જ્યાં સુધી પાછા નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે ધરણાં પર બેસીશું.
કાર્યકર્તાઓને ફરીથી ટીએમસીમાં સામેલ કરાયા
બાનાગ્રામના તૃણમુલ પંચાયત પ્રધાન કાંતિ મંડલે કહ્યું કે, આ ત્રણસો કાર્યકર્તાઓ છેલ્લાં કેટલાંક દિવસોથી અમારી પાર્ટીમાં આવવા માટે વિનંતી કરી રહ્યાં હતાં. આજે તેઓ પાર્ટી કાર્યાલયની સામે ધરણાં પર બેસી ગયા હતા અને પાછા લેવાની અપીલ કરી હતી. ત્યારબાદ અમે પોતાના નેતાઓ સાથે વાતચીત કરી હતી અને કાર્યકર્તાઓને ફરીથી અમારી પાર્ટીમાં સામેલ કરાયા છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મમતા દીદીની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીમાં ઘર્ષણ થયુ હતું તેવુ હવે ભાજપ સાથે થઈ રહ્યું છે. બંગાળમાં ફરીથી દીદીની સરકાર રચાતા જ ટીએમસી છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ અને કાર્યકર્તાઓનો ઘરવાપસીનો કાર્યક્રમ શરૂ થયો છે. મુકુલ રોયની ઘરવાપસી બાદ ફક્ત નેતાઓ જ નહીં, પરંતુ હવે તો ગ્રાસ રૂટ લેવલ પર કામ કરતા ભાજપના કાર્યકર્તાઓ પણ ટીએમસીમાં પાછા આવવા લાગ્યા છે. તાજેતરમાં બંગાળના બીરભૂમ જિલ્લામાં એકસાથે ભાજપના 300 કાર્યકર્તાઓ ટીએમસી સાથે જોડાયા છે.