અમદાવાદની લાઈફલાઈન ગણાતી એએમટીએસ બસ હવે કંડક્ટર વગર જ દોડશે. આજથી 501નંબરના રૂટની બસમાં આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના વૈષ્ણોદેવીથી ઉજાલા સર્કલ વચ્ચે દોડતી આ બસમાં કંડક્ટર નહીં પણ પોલવેલિડેટર હશે. તો કઈ રીતે કંડકટર વગર જ થશે ટિકિટનું કામકાજ અને આ સેવા વિશે કેવો છે નાગરિકોનો અભિપ્રાય જોઈએ આ અહેવાલમાં,
કંડક્ટર વગરની AMTS
હવે માત્ર પોલવેલિડેટર
AMTSનું ડિજિટલાઈઝેશન
અમદાવાદ શહેરની ઓળખ અને લાઈફલાઈન એટલે એએમટીએસ બસ. આ સેવા વર્ષો થી લાલ બસ તરીકે ઓળખાય છે. પરંતુ સમય સાથે તંત્ર પણ આ સેવાનું ડિજિટલાઈઝેશન કરવા લાગ્યું છે. શહેરના વૈષ્ણોદેવીથી સરખેજના ઉજાલા સર્કલ વચ્ચે કંડક્ટર વગર અને પોલવેલિડેટર સાથેની બસો પ્રાયોગિત ધોરણે દોડાવવાનો એએમટીએસ દ્વારા નિર્ણય લેવાયો છે.
ટિકિટ લેવા જવાની તકલીફથી મુક્ત મળશે
એએમટીએસ તંત્ર દ્વારા પોલ વેલિડેટર એટલેકે જાતે જ ટિકિટ આપતી સિસ્ટમથી સજ્જ બસ દોડાવવાની પહેલ કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારની સિસ્ટમથી શહેરી મહિલા નાગરિકોમાં આનંદ જોવા મળી રહ્યો છે તેમને લાગે છે કે, ભીડ વિંધીને કંડક્ટર પાસે ટિકિટ લેવા જવાની તકલીફથી મુક્ત મળશે.
આ સેવાથી જ્યાં શહેરના યુવા યુવતીઓ ખુશ થયા છે ત્યાં ગામડામાંથી આવતા પ્રવાસીઓ કંડક્ટર વગર મુશ્કેલી પડશે તેવો ભાવ અનુભવી રહ્યા છે. કેમકે તેમની સમસ્યા એ છે કે પોતાનું સ્ટેશન આવ્યું તે કંડક્ટર વગર તેમને કોણ જણાવશે.
501 રૂટની બસમાં 15 બસો દોડી રહી છે
હાલ પ્રાયોગિક ધોરણે માત્ર એક જ રૂટ ની બસ પર આ પ્રયોગ કરવામાં આવ્યો છે અને અધિકારીઓ દ્વારા આ સેવાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. હાલ 501 રૂટની બસમાં 15 બસો દોડી રહી છે. આ સમગ્ર રૂટમાં 39 સ્ટોપેજ છે. જેમાં 7 સ્ટોપેજ પર પેસેન્જરોને સ્ટોપેજ પરથી જ ટિકિટ આપવામાં આવશે. .વૈષ્ણોદેવી અને ઉજાલાસર્કલ સ્ટોપેજ પર પણ ડ્રાઈવર જ ટિકિટ આપશે.
501 રૂટની બસમાં 15 બસો દોડી
બાકીના સ્ટોપેજ પરથી ચડતા મુસાફરોએ જનમિત્ર કાર્ડને સ્કેન કરીને ટિકિટ મેળવી લેવાની રહેશે. હવે જેની પાસે જનમિત્રકાર્ડ ન હોય અને તેવા મુસાફરો વચ્ચેથી ચડશે તો તેમને મુશ્કેલી પડવાની પણ શક્યતા વ્યકત કરાઈ રહી છે..ત્યારે તેવા મુસાફરો માટે પણ વ્યસ્થા કરવી પડેશે