દક્ષિણી નેપાળના એક ગામમાં આવેલ ગઢીમાઇ મંદિરમાં દર પાંચ વર્ષમાં યોજાતા મેળાનું આયોજન થયું છે. આ મેળામાં હજારો પશુઓની બલિ આપવામાં આવે છે. આ વખતે પણ યોજાયેલ મેળામાં 30 હજાર જાનવરોની બલિ ચઢાવવામાં આવશે.
ગઢીમાઇ મંદિરમાં પાંચ વર્ષે યોજાતા મેળાનો પ્રારંભ
હજારો પશુઓને ચઢાવાય છે બલિ
પશુ અધિકાર કાર્યકર્તાઓએ કર્યો વિરોધ
સતત બે દિવસ ચાલનારા આ મેળા બાદ ગઢીમાઇ દુનિયાનું સૌથી મોટું કતલખાનું બની જશે.કાઠમાંડૂથી આશરે 100 કિલોમીટર સ્થિત ગઢીમાઇ મંદિરમાં દરેક પાંચ વર્ષ બાદ પશુઓની સામુહિક કતલ કરવામાં આવે છે. આ ઉત્સવ શક્તિની દેવી ગઢીમાઇના સન્માનમાં આયોજીત કરવામાં આવે છે. આ વખતે મંગળવાર અને બુધવારના રોજ મનાવવામાં આવશે.
પશુ અધિકાર કાર્યકર્તાઓને વિરોધ
પશુ અધિકાર કાર્યકર્તાઓના વિરોધ વચ્ચે આ વખતે પણ ગઢીમાઇના સન્માનમાં હજારો પશુઓને મારવામાં આવે છે અને ચારે તરફ પશુઓની લાશ પડી હોય છે.
આસ્થાની સામે કોર્ટના આદેશનો અનાદર
અહીંના પ્રાણીઓના બલિદાન સામે પશુ અધિકાર કાર્યકર્તા અવાજ ઉઠાવતા રહે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ આ સંદર્ભે સૂચનાઓ જાહેર કરી છે, પરંતુ આસ્થાની સામે આ બધાની અવગણના કરવામાં આવી છે.
ક્રૂર પરંપરાનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે
આટલી મોટી સંખ્યામાં પ્રાણીઓને મારી નાંખવાની આ ધાર્મિક પરંપરાનો ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રાણીઓના હિતમાં કામ કરનારી સંસ્થાઓના જણાવ્યા મુજબ આ ક્રૂર પરંપરા છે અને તેને બંધ કરવી જોઇએ.
હ્યુમેન સોસાયટી ઇન્ટરનેશનલના નિર્દેશક જયા સિમ્હા નુગૂહલ્લીએ આ પરંપરા વિશે જણાવતા કહ્યુ કે બલિ દરમિયાન જમીન પર લોહીની નદીઓ વહેતી હોય છે, મૂંગા પ્રાણીઓ દર્દથી તડપતા નજરે પડે છે. અને આવા દશ્યને બાળકો પણ જોઇ રહ્યા હોય છે. આ ક્રૂર પરંપરા છે.