નવા વર્ષ પર ભારતમાં કોરોના વેક્સિનને લઈને ખૂબ સારા સમાચાર સામે આવી રહ્યા છે હવે થોડા દિવસમાં જ કોરોના વાયરસ સામે લડાઈના રૂ માં રસીકરણ શરૂ કરવામાં આવશે ત્યારે સ્વાસ્થ્ય મંત્રીએ આજે મોટું નિવેદન આપ્યું હતું.
દેશમાં કોરોના વાયરસની વેક્સિન માટે તૈયારીઓ
આજે દેશના બધા જ રાજ્યોમાં કરવામાં આવ્યું ડ્રાય રન
કોરોના વાયરસની વેક્સિન પર સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું મોટું નિવેદન
હાલમાં પહેલા ત્રણ કરોડ લોકોને મફતમાં અપાશે વેક્સિન
શું બોલ્યા સ્વાસ્થ્ય મંત્રી ?
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પહેલા દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે ન માત્ર દિલ્હી સમગ્ર દેશમાં કોરોના વાયરસની રસી મફતમાં આપવામાં આવશે જે બાદ સોશ્યલ મીડિયા અને મીડિયામાં અહેવાલો આવ્યા બાદ તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવીને સ્પષ્ટતા કરવી પડી.
પ્રથમ ફેઝમાં આ લોકોને મળશે વેક્સિન
સ્વાસ્થ્ય મંત્રી કહ્યું કે પ્રથમ ફેઝમાં ત્રણ કરોડ લોકોને આ મફતમાં વેક્સિન આપવામાં આવશે જેમાં એક કરોડ જેટલા હેલ્થ વર્કર્સ અને 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સન સમાવેશ થાય છે. જુલાઇ સુધીમાં જે બીજા 27 કરોડ લાભાર્થીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે તેના પર નિર્ણય પાછળથી લેવામાં આવશે.
In 1st phase of #COVID19Vaccination free #vaccine shall be provided across the nation to most prioritised beneficiaries that incl 1 crore healthcare & 2 crore frontline workers
Details of how further 27 cr priority beneficiaries are to be vaccinated until July are being finalised pic.twitter.com/K7NrzGrgk3
નોંધનીય છે કે હર્ષવર્ધને પહેલા એવી જાહેરાત કરી દીધી કે કોરોના વાયરસની રસી દેશભરમાં ફ્રીમાં આપવામાં આવશે પણ બાદમાં તેમણે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે કોરોના વાયરસની રસી આપવાના અભિયાનમાં પહેલા ચરણમાં જે ત્રણ કરોડ લોકો છે તેમને ફ્રીમાં રસી આપવામાં આવશે અને તે બાદના 27 કરોડ લોકો માટેના નિર્ણય માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે તેમણે એમ પણ અપીલ કરી હતી કે કોરોના વાયરસની વેક્સિન પર ફેલાઈ રહેલા અફવાઓ પર ધ્યાન ન આપવું.
#WATCH | Not just in Delhi, it will be free across the country: Union Health Minister Dr Harsh Vardhan on being asked if COVID-19 vaccine will be provided free of cost pic.twitter.com/xuN7gmiF8S
તેમણે વધુમાં કહ્યું હતું કે કોરોના વાયરસની રસીને લઈને દેશમાં ઘણીબધી અફવાઓ ઊડી રહી છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર નથી. લોકો માત્ર સરકાર તરફથી આપવામાં આવતી જાણકારી પર જ વિશ્વાસ રાખે.
આજે થઈ રહ્યું છે ડ્રાય રન
દિલ્હીમાં કોરોના ડ્રાયરનની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન દિલ્હીના ગુરુ તેગબહાદુર હોસ્પિટલ પહોંચ્યા હતા. નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસનું રસીકરણ શરૂ કરવામાં આવે તે પહેલા આજે દેશભરમાં તેના માટે ડ્રાય કરવામાં આવી રહ્યું છે. આ ડ્રાય રનમાં કોરોનાની રસી આપવા માટે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે અને મોકડ્રીલ યોજાઇ રહી છે. દેશના બધા જ રાજ્યોમાં કુલ 116 જિલ્લાઑમાં એક સાથે આ અભિયાન આજે ચાલુ કરવામાં આવ્યું છે જેમાં 259 વેક્સિનેશન બૂથ ઊભા કરવામાં આવ્યા છે. આ ડ્રાયરનમાં કોરોનાની રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી પરંતુ માત્ર તપાસ કરાઇ રહી છે કે જે યોજના બનાવવામાં આવી છે તે પ્રમાણે કામ થઈ શકે છે કે નહીં.
ભારતમાં કોરોના વાયરસના આશરે એક વર્ષમાં એક કરોડ જેટલા લોકો સંક્રમિત થયા છે અને લાખો પરિવારોએ પોતાના સ્નેહીજન ગુમાવ્યા છે ત્યારે આ મહામારી સામે લડવા માટે સૌથી મોટો હથિયાર વેક્સિન પણ ભારતને મળી ગઈ છે ત્યારે સરકાર અને જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.