રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,871 નવા કેસ આવ્યા અને 25 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, તો સાજા થવાના દર્દીઓનો આંકડો 5,146 નોંધાયો
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો
ગત 24 કલાકમાં નોંધાયા 1,871 નવા કેસ, 5,146 દર્દીઓ સાજા
આજે અમદાવાદ કરતા વડોદરામાં વધુ કેસ નોંધાયા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,871 નવા કેસ નોંધાયા છે, તો 25 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,790 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 5,146 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,62,270 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 521 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 35,403 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
અત્યાર સુધીમાં 1,68,94,303 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,68,94,303 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 1,83,070 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 237 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 139 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 58 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 216 કેસ, જ્યારે ગ્રામ્યમાં 99 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 114 કેસ અને ગ્રામ્યમાં 51 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....