નવા કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણા અને પંજાબના ખેડૂતો રસ્તા પર છે. ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદાને તાત્કાલીક રદ્દ કરે. ખેડૂતોના આ આંદોલનમાં હવે સમાજના વિભિન્ન વર્ગોની સાથે પદ્મશ્રી અને અર્જૂન એવોર્ડી સહિત પૂર્વ ખેલાડીઓ પણ જોડાયા છે. આ પૂર્વ ખેલાડીઓએ સરકારને પોતાના પદક પરત કરવાનું એલાન કર્યું છે. આ ખેલાડીઓનું કહેવું છે કે ખેડૂતો પર બળ પ્રયોગ કરવો યોગ્ય નથી અને તેઓ તેનો વિરોધ કરે છે.
વોટર કેન અને આંસુ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો તે યોગ્ય નહીં
પોતાના એવોર્ડ રાષ્ટ્રપતિ ભવનની બહાર છોડીને આવશે
ખેડૂતોને મળ્યુ એવોર્ડી ખેલાડીઓનું સમર્થન
મળતી જાણકારી મુજબ છેલ્લે 2 દિવસોથી પૂર્વ ભારતીય બાસ્કેટબોલ ખેલાડી અને અર્જૂન પુરસ્કાર વિજેતા સજ્જન સિંહ ચીમા, પંજાબમાં સાથી અર્જુન અને પદ્મ પુરસ્કાર વિજેતા ખેલાડીઓ સંપર્કમાં છે જેથી તે ખેડૂતોના વિરોધ પ્રદર્શનને સમર્થનમાં રેલી કરી શકે અને રાષ્ટ્રપતિને પોતાનો પુરસ્કાર પાછો આપી શકે. ચીમાને 30થી વધારે પૂર્વ ઓલમ્પિક અને અન્ય પ્રતિયોગિતાઓના પદક મેળવનારા ખેલાડીઓનું સમર્થન મળ્યું છે. જેમાં ગુરમેલ સિંહ અને સુરિન્દર સિંહ સોઢીનો પણ સમાવેશ થયો છે. 1980 મોસ્કો ઓલમ્પિકમાં સ્વર્ણ પદક જીતનારી ભારતીય હોકી ટીમના સભ્ય હતા.
પોતાના એવોર્ડ રાષ્ટ્રપતિ ભવનની બહાર છોડીને આવશે
સમાચાર છે કે પદ્મશ્રી તથા અર્જુન એવોર્ડી પહેલવાન કરતાર સિંહ, અર્જુન એવોર્ડી બાસ્કેટબોલ ખેલાડી સજ્જન સિંહ ચીમા, હોકી ખેલાડી રાજબીર કોર સહિત 30 ખેલાડી 5 ડિસેમ્બરે દિલ્હી જશે અને પોતાના એવોર્ડ રાષ્ટ્રપતિ ભવનની બહાર છોડીને આવશે. તેમણે કહ્યું કે દિલ્હી જઈ રહેલા ખેડૂતોને રોકવા માટે કેન્દ્ર અને હરિયાણા સરકાર દ્વારા વોટર કેનન તથા આંસૂ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો તેની કડક શબ્દોમાં નિંદા કરી છે.
વોટર કેન અને આંસુ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો તે યોગ્ય નહીં
સજ્જન સિંહ ચીમાએ કહ્યું કે આપણે બધા ખેડૂતોના બાળકો છીએ. ખેડૂતો છેલ્લા કેટલાય મહિનામાં સતત શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ખેડૂતોના આંદોલનથી કોઈને કોઈ સમસ્યા નહોંતી. તેમ છતાં તે દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે તેમના પર વોટર કેન અને આંસુ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો. ચીમાએ કહ્યું કે જો આપણા વૃદ્ધો અને ભાઈઓની પાઘડી આ રીતે ઉછાળવામાં આવશે તો એવા પુરસ્કાર અને એવોર્ડ રાખીને શું કરશે. તેવામાં એવોર્ડ નથી જોઈતા એટલા માટે પાછા આપી રહ્યા છીએ.