મહેસાણા દૂઘસાગર ડેરીના ચેરમેનના સાગરદાણ કૌભાંડના મામલામાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીને કરોડોના નુકસાન માટે જવાબદાર ઠેરવાયા છે.
વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન હતા. સાગરદાણ કૌભાંડમાં રૂ. 22 50 26 628 કરોડના નુકસાન માટે સંઘના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરીને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય સહકારી મંડળીના રજિસ્ટ્રાર નલિન ઉપાધ્યાય દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે. સંઘને 30 દિવસમાં નુકસાનીની રકમ પરત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
ધી મહેસાણા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમિટેડ મહેસાણા સંઘને આર્થિક નુકશાન થાય તે રીતે ૧૩ ૭૩૧ ટન પશુદાણ મહારાષ્ટ્ર રાજ્ય સહકારી દૂધ મહાસંઘ માર્યાદિતનું નુકશાન થયું હતું.