બનાસકાંઠામાં BSFના 30 જવાનો કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા જેથી આરોગ્ય તંત્ર અહીયા દોડતું થઈ ગયું છે. આ જવાનો નાગાલેન્ડથી આવ્યા હતા
બનાસકાંઠામાં ફરી કોરોનાનો કહેર
BSFના 30 જવાનો કોરોના પોઝિટીવ
કોરોનાને કારણે આરોગ્ય તંત્ર હરકતમાં
કોરાનાની બીજી લહેર ગુજરાત માટે ઘણી ઘાતક સાબિત થઈ હતી. બીજી લહેરમાં રાજ્યના બધાજ જિલ્લાઓમાં કોરોનાને કારણે લોકોના મોત થયા હતા. હાલ સંક્રમણ ઓછું થયું ગયું છે. તેવામાં બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોનાએ કહેર વર્તાવ્યો છે. અહીયા BSFના કુલ 30 જવાનો કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે.
પોઝિટીવ જવાનો આઈસોલેટ
જે પણ જવાનોનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. તે બધાજ જવાનોને આઈસોલેટ કરવામાં આવ્યા છે. આ બધાજ જવાનો નાગાલેન્ડથી ભારત આવ્યા હતા તેવી માહિતી સામે આવી છે. જેથી નાગાલેન્ડમાં તેઓ સંક્રમિત થયા હોય તેવું બની શકે છે.
આરોગ્ય તંત્ર હરકતમાં
જવાનો પોઝિટીન આવ્યા બાદ બનાસકાંઠાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. તેમણે બધાજ જવાનોને આઈસોલેટ કરી દીધા છે અને તેમની સારવાર ચાલી રહી છે. સાથેજ તેમના સંપર્કમાં બીજા કોણ કોણ આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જે પણ લોકો તેમના સંપર્કમાં આવ્યા હશે તેમનો ટેસ્ટ કરવામાં આવશે.
લોકોમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર હાલ શાંત પડી ગઈ છે. પરંતુ હવે રાજ્યમાં ત્રીજી લહેરને લઈને લોકોમાંલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમા ખાસ કરીને કોરોનાનો ડેલ્ટા વેરિએંટને લઈને લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કારણકે વિશેષજ્ઞોનું પણ એવું કહેવું છે કે ડેલ્ટા વેરિએંટને કારણે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.