પંજાબના સંગરૂરમાં 125 ફુટ ઉંડા બોરવેલમાં પડી ગયેલા ફતેહવીર સિંહને બહાર કાઢવામાં આવ્યો જો કે આ દરમિયાન તેનું મૃત્યું થઇ ગયું હતું. ફતેહવીરને સવારે અંદાજે 5-12 વાગે બોરવેલમાંથી બહાર નીકળાવામાં આવ્યો, ત્યારબાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.
પરંતુ હોસ્પિટલ પહોંચ્યા બાદ તેનું મૃત્યું થયું અને જિંદગી સામે જંગ હારી ગયો. જ્યારે ફતેહવીર સિંહને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો ત્યારે તેના શરીર પર સોજો હોવાનું જણાવાયું હતું. બાળકની જીંદગી બચાવવા માટે એનડીઆરએફ, પોલીસની ટીમે 109 કલાકનું લાંબુ રેસ્ક્યુ ઓપરેશ ચલાવ્યું હતું.
Two-year-old Fatehveer Singh, who had fallen into a borewell in Sangrur, has passed away. https://t.co/wMn4IAhJJe
બોરવેલમાં પડી ગયેલા બાળકનું નામ ફતેહવીર હતું, જે ગુરૂવાર સાંજે અંદાજે ચાર વાગે રમતા-રમતા બોરવેલમાં પડી ગયો હતો. ફતેહવીર સિંહ બોરવેલમાં પડી ગયાની સુચના મળ્યાં બાદ જ એનડીઆરએફની ટીમે બચાવ કાર્યવાહી શરૂ દીધી હતી. બાળકને આજે બોરવેલની સમાંતર ખોદી ગયેલી ટનલની મદદથી બહાર નીકાળવામાં આવ્યો.
ફતેહવીરને બહાર કાઢ્યા બાદ તુરંત હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યો ત્યારે તેની તબિયત નાજૂક હતી. બોરવેલની અંદર ઓક્સિજનની સપ્લાઇ વધારી દેવામાં આવી હતી. તે સિવાય બાળક પર કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. બચાવ કાર્યવાહીમાં એનડીઆરએફના 26 સભ્યો હતા. ઘટનાસ્થળ પર ચોવીસ કલાક તબીબની ટીમ અને એમ્બ્યુલેન્સ તૈનાત હતા.
આ ઘટના બાદ અંદાજે 40 કલાક બાદ શનિવારે સવારે તેના શરીર પર હલચલ જોવા મળી હતી. ફતેહવીરને બહાર નિકાળવા માટે 109 કલાક સુધી બચાવ અભિયાન ચલાવામાં આવ્યું. પંજાબના સંગરૂર જિલ્લાના ગામ ભગવાનપુરા નિવાસ સુખવિંદર સિંહનો દિકરો ફતેહવીર ગુરૂવાર સાંજે 150 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો.