ઘરના પહેલા માળનો સ્લેબ ધરાશાયી થતા સુરતના પાંડેસરામાં 3 વર્ષીય બાળકીનું મૃત્યુ, તંત્ર પર આક્ષેપ સાથે બાળકીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
ઘરનો સ્લેબ ધરાશાયી થતા બાળકીનું મૃત્યુ
પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર
બાળકીને ન્યાયની માગ
સુરતના પાંડેસરામાં ઘરનો સ્લેબ ધરાશાયી થવાથી 3 વર્ષ બાળકીનું મૃત્યુ થયું છે. પહેલા માળના ઘરનો સ્લેબ પડતા 3 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું હતું. દુર્ઘટના સમયે ઘરમાં 5 વ્યક્તિ સૂતા હતા. અને સ્લેબ પડવાની ઘટના સર્જાઈ હતી. બાળકીના પરિવારજનોએ બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. અને તેઓએ કહ્યું કે જ્યાં સુધી બાળકીને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે. 3 વર્ષીય બાળકીના મૃત્યુ બાદ સ્થાનિકોમાં રોષ છે. સ્થાનિકો પણ સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અને તંત્રની બેદરકારીથી બાળકીએ જીવ ગુમાવ્યાનો આક્ષેપ કર્યો છે. તંત્રએ સમયસર કામ ન કરતા દુર્ઘટના બની હોવાનું લોકો કહી રહ્યા છે. હાલ આવાસના લોકોએ વૈકલ્પિક વ્યવસ્થઆ કરવાની પણ માગ કરી છે.