જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં મંગળવારે ભારતીય સેનાએ આંતકીઓ સાથે થયેલ ઘર્ષણમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં આવેલ રાજપુરા ગામમાં આ ત્રણ આંતકીનો ઠાર કરવામાં આવ્યા હતા. મરનાર આતંકીઓમાં 2 પાકિસ્તાની હોવાની પણ આંશકા વ્યક્ત કરવામાં આવી છે. જેમની પાસેથી કેટલાક હથિયાર અને દારૂગોળો પ્રાપ્ત થયો હતો.
સેના સાથેની અથડામણમાં 3 આતંકી ઠાર
પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં બની ઘટના
આંતકીઓએ કર્યો ભાગવાનો પ્રયાસ
જાણકારી અનુસાર, સેનાને મંગળવારની બપોરે પુલવામાંના અવંતિપોરા નજીક આતંકીઓની હલચલ થઇ રહી હોવાની સુચના પ્રાપ્ત થઇ હતી, જેને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી સેનાની રાષ્ટ્રીય રાયફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને SOG અને CRPF ના જવાનોની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને તમામ એન્ટ્રી પોઇન્ટને સીલ કર્યા હતા.
#WATCH Jammu and Kashmir: 3 terrorists killed in encounter between security forces & terrorists in Awantipora today. Arms & ammunition recovered. Identities and affiliations being ascertained. Search in the area continues. pic.twitter.com/xMWn0Vl9Fl
કહેવામાં આવી રહ્યું છે કે સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને કડક ઘેરો જોઇને આતંકીઓએ સેના પર ફાયરિંગ કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ સમય દરમિયાન રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોએ આતંકવાદીઓ જ્યાં છુપાયેલા હતા અને ફાયરિંગ કરી રહ્યા હતા તે છુપાયેલાને ઘેરી લીધું હતું. આ પછી, લગભગ 3 કલાક ચાલેલા ઓપરેશન બાદ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
પાકિસ્તાને આજે એલઓસી પર બાલાકોટ સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ પહેલા રવિવારે પાકિસ્તાન દ્વારા સીઝફાયરના ઉલ્લંઘનમાં ભારતના બે જવાન અને એક આમ નાગરિકનું મોત થઇ ગયું હતું. ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં ત્રણ આંતકી કેમ્પ તબાહ કર્યા. આ ઉપરાંત ભારતની કાર્યવાહીમાં લગભગ 2 ડઝન આંતકીઓ સહિત 10 પાક સૈનિક માર્યા ગયા હતા.