ભારતમાં અવાર નવાર આતંક ફેલાવવાની સાજિશ કરતું ટેરરિસ્તાન ફરી એકવાર બેનકાબ થઈ ગયું છે. ભારતીય ગુપ્તચર સંસ્થાને મળી માહિતી પ્રમાણે ગુલ જાન, જુમ્મા ખાન અને શકીલ અહમદ નામના કુખ્યાત આતંકવાદીઓએ ભારતમાં ઘૂસણખોરી કરી હોવાના અહેવાલ છે.
ગુપ્તચર સંસ્થાઓએ આપી માહિતી
ISIએ ભારતમાં ઘૂસાડ્યા છે 3 આતંકી
દિલ્હીમાં VIP લોકો હોય શકે છે નિશાના પર
પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ISI ભારતને નુકસાન પહોંચાડવાનું જ એકમાત્ર ઓફિશ્યલ લક્ષ્ય ધરાવે છે. જેના માટે ભૂતકાળથી લઈને અત્યાર સુધી તે ઘણી વાર કેટલાય ષડયંત્રો કરી ચૂકી છે, અને આજે ફરી એકવાર તેના મલીન ઈરાદાઓનો પર્દાફાશ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ભારતીય સુરક્ષા એજન્સીઓને માહિતી મળી છે કે ગુલ જાન, જુમ્મા ખાન અને શકીલ અહમદ નામના 3 કુખ્યાત આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે.
દિલ્હીના VIP હોય શકે છે નિશાના પર
પાકિસ્તાન ફરી એક વાર ભારતીય રાજધાનીમાં ઘાતકી હુમલો કરવાની ફિરાકમાં છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને મળેલી બાતમી અનુસાર દેશમાં ફરી એક વાર આતંકીઓ મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. દિલ્હીમાં આ આતંકીઓના નિશાને કેટલાક ખાસ VIP લોકો હોવાની તેમની પાસે માહિતી છે.
શું કારણ છે પાકિસ્તાન મોકલી રહ્યું છે આતંકીઓ?
ભારતમાં આતંકીઓ મોકલવા એ પાકિસ્તાન માટે કોઈ નવી વાત નથી. જો કે હાલમાં ભારતીય સુરક્ષા એજન્સીઓને આ પ્રકારની માહિતી મળે તે માટે હાલની કેટલીક ઘટનાઓ જવાબદાર છે જે પાકિસ્તાનને ષડયંત્ર કરવા માટે ઉકસાવી શકે છે, જેમાંથી એક છે ચીનનો સપોર્ટ અને સહાયતા.
ચીન પાકિસ્તાનનું છે મદદગાર
દુનિયાના દરેક સ્ટેજ પર ખૂલીને પાકિસ્તાનની વકાલત કરતાં ગણ્યા ગાંઠ્યા દેશ છે, જેમાંથી ચીન સૌથી મુખ્ય છે. તે પાકિસ્તાનનું ઓલ વેધર ફ્રેન્ડ એટલે કે સદાબહાર મિત્ર હકે. જો કે આ મિત્રતા ભારત વિરુદ્ધધની બંનેની એકસમાન દુશ્મનીના લીધે છે. આ ચીન સાથે ભારતને તાજેતરમાં જ લોહિયાળ સંઘર્ષ થયો હતો. જેમાં બંને પક્ષે જવાનોનું લોહી રેડાયું હતું. તે બાદ ભારતમાં ચીન વિરોધની એક વ્યાપક ચળવળ ઊભી થઈ છે.
ખાસ કરીને લોકો દ્વારા ચીન પ્રત્યે મોહભંગ થવાના લીધે ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર થઈ રહ્યો છે. તેમાં વળી ભારત સરકાર પણ એવા નીંરયો લઈ રહી છે જેનાથી ચીનને આર્થિક ફટકાઓ મારી શકાય. ખાસ કરીને સરકારી ટેંડર્સમાંથી ચીની કંપનીઓની બાદબાકી અને 106થી વધુ ચીની એપ્સ પર પ્રતિબંધ એવા નિર્ણયો છે જેનાથી ચોક્કસ પણે ચીનને નુકસાન તો થયું છે, પણ એનાથી વિશેષ તેનો ઘમંડ ઘવાયો છે. જેનાથી તે ભારત વિરુદ્ધ વધુ ષડયંત્ર કરે તે સ્વાભાવિક છે.
હમણાં જ એવા સમાચાર આવ્યા હતા કે ચીનના રાષ્ટ્રપતિ પાકિસ્તાનની મુલાકાત લેવાના છે, ત્યારે સંભવ છે કે ચીની પ્રમુખને ખુશ કરવા પાકિસ્તાન વધુ એક આતંકી સાજિશની ફિરાકમાં હોય.
ભારતના ઘટનાક્રમ
ભારતમાં હાલમાં રામમંદિરનું ભૂમિપૂજન થયું છે. દેશના બહુમતી અને લઘુમતી તમામ વર્ગોએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને સ્વીકાર્યો છે, અવકાર્યો છે. પરંતુ ભારત પોતાની રીતે તેના સૌથી લાંબા એતિહાસિક મુદ્દાનું નિરાકરણ સંપૂર્ણ કાયદાકીય રીતે કરી શકે છે તે અમુક દેશોને બહુ જ ખૂચ્યુ છે. ભારતમાં કૌમી સૌહાર્દને બની શકે તેટલી હાનિ કરી સાંપ્રદાયિક્તા ભડકાવવી તે પાકિસ્તાનની વર્ષોથી નીતિ રહી છે. આ મુદ્દે જો કે તેને અમુક અદૃશ્ય વિદેશી પરિબળોનો પણ ટેકો હોવા સંભવ છે. તાજેતરમાં ભારતમાં બેંગાલુરુની હિંસાની ઘટના તાજી જ છે ત્યારે તે જ ઘટનાથી ઉપસેલા વમળને ટાર્ગેટ કરી સાંપ્રદાયિક્તાને ડહોળવયનું પાકિસ્તાનનું કાવતરું હોઈ શકે છે.
પાકિસ્તાનની સ્થિતિ
પાકિસ્તાનને હાલમાં આર્થિક સહાયતાની ખૂબ જ જરૂર છે, જેના લીધે તે કોઈ દેશનું કોઈ પણ કામ કરવા તૈયાર થઈ જાય તેમ છે. FATFની વારંવારની ચીમકીઓના લીધે પણ તે ગળે આવ્યું છે. ચીન અને તુર્કીના અગણિત પ્રયાસો છતાં તેને ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાનો કોઈ ચાંસ દેખાતો નથી. ચીન અને તુર્કીના થોડાક ટેકાના લીધે તે બ્લેક લિસ્ટમાં જતાં તો 2 થી વધુ વાર બચી ચૂક્યું છે , આપણ દિવસે ને દિવસે તેના ગળા ફરતેનો ગાળિયો મજબૂત થઈ રહ્યો છે.
પાકિસ્તાનના અર્થતંત્રની હાલત ઑક્સીજનના બાટલા પર નભતા દર્દી જેવી છે. આ ઑક્સીજન હાલ પૂરતું તો માત્ર ચીનથી જ આવી રહ્યું છે. સાઉદી અરેબિયા જેવા બળવાન દેશની ખફગી વહોરીને પાકિસ્તાને કુહાડા પર પગ મારી દીધો છે. પાક વિદેશ મંત્રીના આડેધડ નિવેદનોના લીધે સાઉદી ક્રાઉન પ્રિન્સ વિફર્યા છે. તેને મનાવવા માટે ઈમરાન ખાને પોતાના ખાસ એવા પાક આર્મી ચીફ કમર બાજવા અને ISI ચીફ ને મોકલ્યા હતા, પરંતુ સાઉદી ક્રાઉન પ્રિન્સ જે ત્યાંનાં ડિફેન્સ મિનિસ્ટર પણ છે ની મુલાકાત કરી શકવામાં આ પાકિસ્તાની પ્લેયર્સ સફળ રહ્યા નથી.
સાઉદી પોતાની આપેલી લોનના હપ્તાની ચૂકવણી વહેલા માંગી રહ્યું છે. જેને દેવા માટે પાકિસ્તાને ચીન પાસેથી લોન લીધી છે. FATFના પ્રતિબંધોના લીધે IMF ANE વર્લ્ડ બેંકથી લોન મળવી મુશ્કેલ છે. વળી તે આવે તો પણ આકરી શરતો સાથે આવે, જે ઈમરાન ખાનને પોસાય તેમ નથી. ચીની પ્રમુખની મુલાકાત સમયે પાકિસ્તાન ચીની સહાયના બદલામાં સામે કશું આપી શકે તેમ નથી, માટે તેમને ખુશ કરવા ભારતમાં હુમલો એકમાત્ર વિકલ્પ છે.
અને છેલ્લે કાશ્મીરનું સ્પેશ્યલ સ્ટેટસ રદ થયાને આ 5 ઓગસ્ટે એક વર્ષ પૂર્ણ થયું, છતાં ખીણમાં શાંતિ ડહોળવાની કોઈ ઘટના બની નથી. માટે શાંત પાણીમાં પત્થર નાખીને તેને તંગ બનાવવું તે પાકિસ્તાનની સ્ટ્રેટેજી હોય શકે છે.