સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ કુલગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી
3 આતંકીઓને કર્યા ઠાર
આત્મઘાતી હુમલાની કરી રહ્યા હતા તૈયારી
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા અને તેમને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું.
પોલીસે પહેલા સમર્પણ કરવાની આપી તક
આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો અને એક આતંકી માર્યો ગયો. એક આતંકવાદી રાતના અંધારામાં છુપાઈ જવામાં સફળ રહ્યો અને તેને સવારે આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું. તેણે સુરક્ષા દળો પર પણ ગોળીબાર કર્યો, ત્યારબાદ તેને પણ ગોળી મારી દેવામાં આવી.
હિઝબુલ આતંકવાદી હોવાની થઈ ઓળખ
માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલ આતંકવાદીઓ શિરાઝ અહેમદ અને યાવર અહેમદ તરીકે થઈ છે. પોલીસ રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું છે કે બંને સુરક્ષા દળો અને નાગરિકો પર હુમલા સહિત અનેક આતંકવાદી ગુનાઓમાં સામેલ ગેંગનો ભાગ હતા. શિરાઝ મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંનો એક હતો અને 2016થી સક્રિય હતો.
બીજી એન્કાઉન્ટર બુંદ બેમિના ખાતે થઈ, જ્યાં સેના અને સીઆરપીએફના રેપિડ રિએક્શન ફોર્સની સંયુક્ત ટીમે એક આતંકવાદીને ઠાર માર્યો. આ હિઝબુલ આતંકવાદીની ઓળખ આમિર રિયાઝ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે અમીરને આત્મઘાતી મિશન હાથ ધરવાની શંકા હતી. પોલીસે કહ્યું કે તેના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા ડિજિટલ પુરાવા સૂચવે છે કે તે આતંકવાદી સંગઠન દ્વારા આત્મઘાતી હુમલા માટે તૈયાર થઈ રહ્યો હતો.