જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં શનિવારે સવારે સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે બીજી વખત અથડામણ જોવા મળી છે. આ દરમિયાન સુરક્ષા બળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં આ બીજી અથડામણ છે. આ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં 6 આતંકીઓનો સફાયો થઇ ગયો છે.
એક અધિકારીના જણાવ્યાં મુજબ સુરક્ષા બળોએ આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી, જેને લઇને પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લીધું અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા બળોની ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ સુરક્ષા બળોએ જવાબી કાર્યવાહી કરતાં ત્રણ આતંકીઓનો સફાયો કરી દીધો.
Jammu & Kashmir: Three terrorists killed in an encounter at Amshipora area of Shopian. Operation still in progress. (Visuals deferred by unspecified time) pic.twitter.com/6RpE7qX7Xr
આ પહેલા શુક્રવારના રોજ કુલગામમાં સુરક્ષા બળોને જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી હતી. કાશ્મીર ઘાટીમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ એ સમય જોવા મળી જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મૂ-કાશ્મીરના બે દિવસની મુલાકાતે પહોંચ્યાં છે.
આ પહેલા ગુરુવારના રોજ કુપવાડામાં સેનાએ લાઇન ઓફ કંટ્રોલ (LoC)ની પાસે ઘુસણખોરી કરી રહેલા આતંકીઓના પ્રયત્નને નિષ્ફલ બનાવી દીધો હતો. આ દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓને ઠાર માર્યા હતા.